આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ શનિવારે પંજાબના માહોલીમાં કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોના વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું આપને વિનંતી કરવા આવ્યો છે.
પોતાના શિક્ષકોને પાણીની ટાંકી પર મોકલે છે પંજાબ સરકાર- કેજરીવાલ
માહોલીમાં 6 મહિનાઓથી રાજ્ય શિક્ષા વિભાગની બહાર ધરણા પર બેઠા શિક્ષકો
#WATCH | Delhi CM and AAP chief Arvind Kejriwal urges a group of protesting contractual teachers, who climbed atop a water tanker, to climb down in Mohali, Punjab pic.twitter.com/IGc8Dcvlct
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું આપને વિનંતી કરવા આવ્યો છે.
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, હું આપને વિનંતી કરવા આવ્યો છે. મને શરમ આવી રહી છે. પૂરા સમાજ પર, પૂરી વ્યવસ્થા પર કે આપણા શિક્ષકોને ટાંકી પર બેસીને પ્રદર્શન કરવું પડે છે. હું આપને વિનંતી કરું છું કે આપ બધા નીચે ઉતરી આવો, હું આપને વચન આપું છું કે, અમારી સરકાર આવ્યા બાદ દિલ્હીમાં જેવી રીતે શિક્ષકોને તમામ પરેશાનીયો દૂર કરી છે. તેવી જ રીતે પંજાબમાં તમામ સુવિદ્યા આપવામાં આવશે.
પોતાના શિક્ષકોને પાણીની ટાંકી પર મોકલે છે પંજાબ સરકાર
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની શિક્ષા વ્યવસ્થા શિક્ષકોની લીધે વધુ સારી થઈ છે. અમે દિલ્હીમાં શિક્ષકોને ટ્રેનિંગ માટે વિદેશોમાં મોકલી છે. પરંતુ પંજાબ સરકાર પોતાના શિક્ષકોને પાણીની ટાંકી પર મોકલે છે. આ બહુ દુખઃદ વાત છે.
કેમ પ્રદર્શન કરી રહ્યાં છે. પંજાબના કોન્ટ્રાક આધારિત શિક્ષકો
પંજાબના કોન્ટ્રાક આધારિત શિક્ષકોએ પોતાની માંગણી લઈને ઘણાં દિવસોથી પ્રદર્શન કરી રહ્યાં છે. લગભગ 6 મહિનાઓથી માહોલીમાં રાજ્ય શિક્ષા વિભાગની બહાર ધરણા પર બેઠા છે. પ્રદર્શનમાં બેઠેલી એક શિક્ષિકાએ કહ્યું કે, અમે લોકોને ભણાવતા 18 વર્ષ થઈ ગયા છે. અને અમારો પગાર માત્ર 6000 રૂપિયા છે. અમારી માંગ છે કે, સરકાર અમને જલ્દીથી કાયમી કરે છે. માનવામાં આવી રહ્યું છે કે, વિધાનસભાની ચુંટણીમાં કોન્ટ્રાક આધારિત શિક્ષકોનો મુદ્દો ખુબ ભારે પડી શકે છે. આજ કારણ છે કે, પંજાબમાં સત્તામાં આવવાની ઉમ્મીદ કરી રહી છે આમ આદમી પાર્ટે શિક્ષકોને માંગોને મનાવવાની વાતો કહી છે.આ પહેલા મુખ્યમંત્રી કેજરીવાલે મંગળવારે કચ્ચા શિક્ષકસંઘની લુધિયાના ઈકાઈના એક શિષ્ટમંડળ સાથે મુલાકાત કરી હતી. કેજરીવાલે રાજ્યમાં આપની સરકાર બનશે તો શિક્ષકોની તમામ માંગોને પ્રાથમિકતાના આધાર પર પુરો કરવાનો આશ્વાસન આપ્યું હતું.