આમ આદમી પાર્ટી (AAP)ના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે MCD ચૂંટણીની તારીખોની જાહેરાતને છેલ્લી ઘડીએ મોકૂફ રાખવા પર નારાજગી વ્યક્ત કરી છે.
MCD ચૂંટણી મોકૂફ રખાતા કેજરીવાલ ગુસ્સે
7-8 વર્ષથી કેમ ના થયું? - કેજરીવાલ
ઇલેક્શન કમિશ્નરને પણ કર્યો અનુરોધ
કેજરીવાલે કહ્યું કે, 9મી તારીખે દિલ્હી ચૂંટણી પંચે પ્રેસ આમંત્રણ મોકલ્યું હતું કે, આજે સાંજે 5 વાગ્યે MCD ચૂંટણીની તારીખોની જાહેરાત કરશે. કેન્દ્ર સરકારે 4 વાગ્યે ચૂંટણી પંચને પત્ર લખ્યો કે, અમે દિલ્હીની ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશનને એક મ્યુનિસિપલ કોર્પોરેશન બનાવવા જઈ રહ્યાં છીએ. ચૂંટણીની જાહેરાત ન થવી જોઈએ.
તેઓએ જણાવ્યું કે, 'જો આપણે ચૂંટણી પંચ પર દબાણ લાવીને ચૂંટણી રદ કરીએ તો તેનાથી ચૂંટણી પંચ નબળું પડે છે અને દેશ નબળો પડે છે. હું વડાપ્રધાનને હાથ જોડીને વિનંતી કરું છું કે ચૂંટણી રદ ન કરો. લોકો કહી રહ્યાં છે કે MCD ને એક કરવું એ તો માત્ર એક બહાનું છે, તેનો હેતુ ચૂંટણીને સ્થગિત કરવાનો છે. ભાજપને લાગ્યું કે, દિલ્હીમાં હવે જો ચૂંટણી થાય તો આમ આદમી પાર્ટીની લહેર છે અને ભાજપ ચૂંટણી હારી જશે. આઝાદીના 75 વર્ષમાં ભારતના ઈતિહાસમાં કદાચ એવું બન્યું હશે કે કેન્દ્ર સરકારે કોઈ રાજ્યના ચૂંટણી પંચને સીધો પત્ર લખીને ચૂંટણી મોકૂફ રાખવાનું કહ્યું હોય.
7-8 વર્ષથી કેમ ના થયું? - કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે, 7-8 વર્ષથી કેન્દ્રએ ભારતીય જનતા પાર્ટીની સરકારે, જો તેમને MCDને ભેગી કરવી હતી તો આટલાં વર્ષોમાં કેમ ના કર્યું. ચૂંટણીની તારીખોની જાહેરાતના એક કલાક પહેલા યાદ આવ્યું કે જો એમસીડી એકત્ર કરવી હોય તો ચૂંટણી મોકૂફ રાખવી જોઈએ. આથી લોકો એમ કહી રહ્યાં છે કે એમસીડીને એક કરવાનું બહાનું છે, તેનો હેતુ ચૂંટણીને સ્થગિત કરવાનો હતો. કારણ કે તેમને લાગ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની જબરદસ્ત લહેર છે અને જો ચૂંટણી થશે તો ભાજપ હારી જશે.
'ચૂંટણી મોકૂફ રાખવાની જરૂર નથી'
વધુમાં કહ્યું કે, 'ચૂંટણી થવા દો, તમે ત્રણેયને એકત્ર કરશો તો પણ ત્રણેય એક જગ્યાએ બેસવા લાગશે. ચૂંટણી કરાવો, નવા કાઉન્સેલરો આવશે. જ્યાં સુધી ત્રણેય મ્યુનિસિપલ કોર્પોરેશન હશે. તેઓ ત્રણેયમાં બેસશે, એક મ્યુનિસિપલ કોર્પોરેશન હશે, તેઓ એકસાથે બેસી જાઓ. આથી ચૂંટણી મુલતવી રાખવાની જરૂર ન હોતી. આ દેશ માટે સારી બાબત નથી, ના તો પત્ર લખીને મુલતવી રાખવી અને ના તો ચૂંટણી પંચનું ઝુકવું.
PM મોદીને કરી અપીલ
કેજરીવાલે વધુમાં એમ પણ જણાવ્યું કે, 'મારી હાથ જોડીને વડાપ્રધાનને અપીલ છે કે, - પ્રધાનમંત્રીજી, સરકાર તો આવતી જતી રહેશે, કાલે તમે પણ નહીં હોય, કાલે હું પણ નહીં હોઉં, આપણે, લોકો કે પાર્ટીઓ જરૂરી નથી પણ દેશ જરૂરી છે. જો આપણે ચૂંટણી આયોગ પર દબાણ કરીને ચૂંટણી રદ કરીએ છીએ, તો તેનાથી ચૂંટણી આયોગ નબળું પડી જાય છે, તે નબળું પડી જાય તો દેશ પણ નબળો થઇ જાય. આપણે સૌએ દેશને મજબૂત કરવાનો છે. મારી તમને અપીલ છે કે, ચૂંટણી રદ ના થવા દો, આ જનતંત્ર માટે સૌથી મોટો ખતરો છે.'
ઇલેક્શન કમિશ્નરને પણ કર્યો અનુરોધ
દિલ્હીનાં CMએ કહ્યું કે, આવી સંસ્થાઓ કેવી રીતે ચાલશે. હું સ્ટેટ ઇલેક્શન કમિશ્નરને વિનંતી કરવા ઇચ્છીશ કે જો તમે આવી રીતે ચૂંટણી ટાળશો તો જનતંત્ર જ નહીં બચે. આપણે આઝાદી કેવી રીતે મેળવી હતી. મને નથી ખ્યાલ કે આપણી ઉપર કોનું દબાણ નાખવામાં આવી રહ્યું છે અથવા તો કોણ ધમકી આપી રહ્યું છે. પરંતુ સર જેની પણ દ્વારા તમને ધમકી અથવા તો લાલચ આપવામાં આવી રહી છે, તો બહાર આવીને દેશને જણાવી દો. તમામ જનતાને કહી દો. પૂરો દેશ તમારી સાથે જ ઉભો છે. પરંતુ કોઇની સામે ઝૂકતા નહીં સાહેબ. આ તો દેશની વાત છે, જનતંત્રની વાત છે.