દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ રાજનૈતિક મંજૂરી નહીં મળવાને કારણે સી 40 જલવાયુ સમ્મેલનમાં સામેલ નહીં થઇ શકે. વિદેશ મંત્રાલય તરફથી હજુ સુધી તેમની યાત્રા માટે મંજૂરી મળી નથી.
દિલ્હીના CM કેજરીવાલને સમ્મેલનમાં જવાની ન મળી મંજૂરી
કેજરીવાલ ડેનમાર્કના કોપનહેગનમાં સી 40 જલવાયુ સમ્મેલનમાં ભાગ લેવાના હતા
પ.બંગાળના શહેરી વિકાસ મંત્રી ફરહાદ હાકિમને આપી મંજૂરી
દિલ્હી સરકારના સત્તાવાર સૂત્રો મુજબ, મુખ્યમંત્રીનો મંગળવારે બપોરે બે વાગ્યે ડેનમાર્કના કોપનહેગનના સમ્મેલનમાં જવાનો કાર્યક્રમ હતો. એક સૂત્રે બતાવ્યું કે, 'મુખ્યમંત્રી કાર્યાલય (CMO)ને મુખ્યમંત્રીના ડેનમાર્ક પ્રવાસ માટે વિદેશ મંત્રાલયથી હજુ સુધી મંજૂરી મળી નથી.''
સમ્મેલન 9 ઓક્ટોબરથી શરૂ થશે અને 12 ઓક્ટોબર સુધી ચાલશે. ગત સપ્તાહ મીડિયાના એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે વિભિન્ન તથ્યોના આધાર પર નિર્ણય કરવામાં આવે છે. દિલ્હી સરકારના સૂત્રોએ સોમવારે કહ્યું કે મુખ્યમંત્રી કદાચ ડેનમાર્ક નહીં જઇ શકે.
એમને 8 સદસ્યના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવાનું હતું. જોકે, એમણે દાવો કર્યો છે કે વિદેશ મંત્રાલયે પ.બંગાળના શહેરી વિકાસ મંત્રી ફરહાદ હાકિમને મંજૂરી આપી છે. ગત વર્ષે સપ્ટેમ્બરમાં કેજરીવાલ દિલ્હી અને સિયોગ વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર કરવા માટે દક્ષિણ કોરિયા ગયા હતા.
આમ આદમીના સાંસદ સંજય સિંહે કહ્યું કે અરવિન્દ કેજરીવાલ ત્યાં મજા કરવા નહોતા જઇ રહ્યા. પરંતુ એશિયાના ટોચના 40 શહેરોના મેચરને એ સમજાવવા માટે જઇ રહ્યા હતા કે કેવી રીતે દિલ્હીના પ્રદૂષમાં 25 ટકાનો ઘટાડો થયો?