દિલ્હીના નાયબ રાજ્યપાલના વિરોધમાં અરવિંદ કેજરીવાલ છેલ્લા સાત દિવસથી આંદોલન ઉપર ઉતર્યા છે અને આ મુદ્દાને લઈને ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં થયેલા નીતિ આયોગની બેઠકમાં મમતા બેનર્જી ચંદ્રાબાબુ નાયડુ કુમારસ્વામી સાથે ચાર મુખ્ય પ્રધાનોએ વડા પ્રધાનને ઘેરવાનો પ્રયાસ કર્યો
જયારે આજે શિવસેના અને જનતા દળ (યુનાઈટેડ) આ બન્નેએ અરવિંદ કેજરીવાલને સમર્થન આપતા કેજરીવાલ સાથે જે વલણ ભાજપ સરકાર અપનાવી રહી છે એ લોકતંત્ર માટે ખતરારૃપ હોવાનું જણાવ્યું છે.
શિવસેના નેતા સંજય રાઉતે આજે કહ્યું કે અરવિંદ કેજરીવાલનું આંદોલન એક અનોખું આંદોલન છે. શિવસેના પક્ષપ્રમુખ ઉદ્ધવ ઠાકરે અરિવંદ કેજરીવાલ સાથે ફોન ઉપર વાત કરતા જણાવ્યું હતું કે કેજરીવાલ દિલ્હી માટે સારું કામ કરી રહ્યા છે. કેજરીવાલ સરકાર લોકોએ ચૂંટાઈ આવેલી સરકાર છે અને હાલ જે એમની સાથે કાંઈ થઈ રહ્યું છે એ લોકતંત્ર માટે સારૃં નથી.