અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે. અહી દારૂનું વેચાણ નથી કરી શકાતું. તો દારૂનું વેચાણ કરી રીતે થાય છે ?
ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડ અંગે બોલ્યા અરવિંદ કેજરીવાલ
ગુજરાતમાં ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે દારૂ: કેજરીવાલ
દારૂબંધીના કાયદાનો નથી થતો અમલ: કેજરીવાલ
ગુજરાતમાં કથિત લઠ્ઠાકાંડ અંગે અરવિંદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે ગુજરાતમાં દારૂબંધીની અમલવારી સામે સવાલ કર્યા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે. અહી દારૂનું વેચાણ નથી કરી શકાતું. તો દારૂનું વેચાણ કરી રીતે થાય છે ? ગુજરાતમાં હજારો કરોડનો દારૂનો ધંધો ચાલે છે. નોંધનિય છે કે, અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમને બોટાદની ઘટનાને લઈ દુ:ખ પ્રગટ કર્યું છે.
શું કહ્યું અરવિંદ કેજરીવાલે ?
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસે છે. આજે તેમને બોટાદની ઘટનાને લઈ દુ:ખ પ્રગટ કર્યું છે. તેમણે લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ સાથે ગુજરાતમાં દારૂબંધીને લઈ સવાલો ઉઠાવ્યા હતા.
बहुत ही दुःख की बात है कि, गुजरात में जहरीली शराब के कारण 23 से अधिक लोगो की मौत हुई है ओर 40 से ज्यादा लोग अस्पताल में है।
सभी मृतकों को मैं श्रद्धांजलि अर्पित करता हूँ और इस दु:ख की घड़ी में पीड़ितों को मेरी संवेदना व्यक्त करने आज भावनगर अस्पताल जा रहा हूं।
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂબંધી છે તો દારૂ આવે છે ક્યાંથી ? આ સાથે તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હજારો કરોડનો દારૂનો ધંધો ચાલે છે.
.
લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો
બોટાદ લઠ્ઠાકાંડમાં હવે એક નવી વાત સામે આવી છે. જેમાં આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે. વાત જાણે એમ છે કે, અમદાવાદના પીપળજના દેવરાજ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં આવેલીA MOS કંપનીમાં મેનેજરની નોકરી કરતાં જયેશે ગોડાઉનમાંથી કેમિકલની ચોરી કરી બુટલેગરોને આપી હતી. જે બાદમાં તેમાં પાણીનું મિશ્રણ કરી બુટલેગરો દેશી દારૂ તરીકે વેચાણ કરતાં હતા. જેથી હવે આ લઠ્ઠાકાંડ નહીં પણ કેમિકલ કાંડ હોવાનો ખુલાસો થયો છે.