દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલે ગુરુવારે કહ્યું કે તેમની સરકાર રાષ્ટ્રીય રાજધાનીમાં સાર્વજનિક પરિવહન વરિષ્ઠ નાગરિકો અને વિદ્યાર્થીઓને મફતમાં મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવી શકે છે. મુખ્યમંત્રીએ 'મુખ્યમંત્રી તીર્થ યાત્રા યોજના' હેઠળ વરિષ્ઠ નાગરિકોને સંબોધિત કરતા કહ્યું કે તેમની સરકાર શહેરના લોકોની જિંદગીને સરળ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
અરવિન્દ કેજરીવાલે કહ્યું કે દિલ્હી મેટ્રો અને બસોમાં પ્રસ્તાવિત ફ્રી યાત્રા મહિલાઓ માટે છે. આપને જણાવીએ કે, દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે દિલ્હીના સાર્વજનિક પરિવહન સેવાની બસો અને મેટ્રો ટ્રેનમાં મહિલાઓને મફત યાત્રા ઉપલબ્ધ કરાવવા માટે પ્રસ્તાવની જાહેરાત 3 જુને કરી હતી.
આ પહેલા આમ આદમી પાર્ટીએ મગંળવારે દાવો કર્યો હતો કે 90 ટકાથી વધારે લોકો દિલ્હી મેટ્રો અને બસોમાં મહિલાઓની મફત યાત્રાના પક્ષમાં છે. આપના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે કહ્યું કે તેમની પાર્ટીના વિધાયકો, કોર્પોરેશન કાઉન્લિર્સ અને મહિલા એકમ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણોથી આ આંકડો સામે આવ્યો છે. પાર્ટીએ 1120 બેઠક આયોજીત કરી અને મેળવ્યું કે 71,572 લોકોમાંથી 64,972 લોકોએ બસો અને મેટ્રોમાં મહિલાઓ માટે મફત યાત્રાનું સમર્થન કર્યું હતું. એમણે બતાવ્યું કે સર્વેક્ષણની રિપોર્ટ દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલને સોંપવામાં આવી છે.
ગોપાલ રાયે કહ્યું હતું કે પાર્ટી જલ્દી આ પ્રસ્તાવ લાગૂ કરવા ઇચ્છે છે. એમણે કહ્યું હતું કે, ''ડીએમઆરસીએ બે પ્રસ્તાવ આપ્યા છે જેમા મહિલા યાત્રીઓને પિંક કાર્ડ જાહેર કરવું સામેલ છે. ડીએમઆરસીએ કહ્યું હતું કે તેમને આ પ્રસ્તાવને લાગૂ કરવામાં 8 મહીના લાગશે જ્યારે અમે તેમને જલ્દી લાગૂ કરવા ઇચ્છીએ છીએ.''