કૃષિ સાથે જોડાયેલા બિલને લઇેન દેશમાં અલગ-અલગ સ્થાનો પર ખેડૂતોના વિરોધ પ્રદર્શન વચ્ચે સરકારે બિલ રવિવારના રોજ રાજ્યસભામાં રજૂ કર્યું. ખેડૂતો સાથે જોડાયેલા બિલ પર રાજ્યસભમાં ચર્ચામાં વિપક્ષો દ્વારા સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વિપક્ષી દળો આ બિલના વિરોધમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ ખેડૂત બિલના વિરોધમાં છે. કેજરીવાલે રવિવારેના રોજ બીન ભાજપ દળોને એકજૂટ થવાની અપીલ કરતા કહ્યું કે આ બિલને રાજ્યસભામાં પાસ ન દેવા માટે આહવાન કર્યું છે.
आज पूरे देश के किसानों की नज़र राज्य सभा पर है। राज्य सभा में भाजपा अल्पमत में है। मेरी सभी ग़ैर भाजपा पार्टियों से अपील है कि सब मिलकर इन तीनों बिलों को हरायें, यही देश का किसान चाहता है। https://t.co/NcEX4aYFQz
રાજયસભામાં બિલ પર ચર્ચા દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પોતાના ટ્વિટ દ્વારા લખ્યું છે કે આજે દેશના ખેડૂતોની નજર રાજ્યસભા પર છે. રાજ્યસભામાં ભાજપ અલ્પમતમાં છે. મારી બીન ભાજપ પાર્ટીઓને અપીલ છે કે બધા મળીને આ ત્રણેય બિલને રાજ્યસભામાંથી પસાર ન થવા દઇએ, આ દેશના ખેડૂતો ઇચ્છી રહ્યાં છે.
કેજરીવાલે બે દિવસ પહેલા પોતાના ટ્વિટમાં કહ્યું હતું, કેન્દ્રના ત્રણેય બિલ ખેડૂતોને મોટી કંપનીઓના હાથમાં શોષણ કરવા માટે છોડી દેશે. મારી બીજ ભાજપા પાર્ટીઓને વિનંતી છે કે રાજ્યસભામાં એકજૂટ થઇને આ બિલનો વિરોધ કરીએ, બધા પક્ષ પોતાના બધા MPને હાજર રહેવા જણાવે અને વોકઆઉટનું નાટક ના કરે. દેશના ખેડૂતો તમને જોઇ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના ત્રણ સાંસદ છે. ત્રણેય સાંસદ ખેડૂત બિલ વિરુદ્ધમાં મતદાન કરશે.