આ રાજ્યમાં આગામી વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી દીધી છે.
વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી
80 ટકા લોકોનું વીજળીનું બિલ ઝીરો થઈ જશે
300 યુનિટ મફત વીજળી, જૂના વીજળીના બિલ માફ
વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી
પંજાબમાં આગામી વર્ષે થનાર વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીએ શરૂઆત કરી દીધી છે. આ સંદર્ભે જ CM કેજરીવાલ ચંડીગઢ પહોંચ્યા હતા. ત્યાં તેમણે આવતા વર્ષે યોજાનારી ચૂંટણી સંદર્ભે ઘણું મોટું એલાન કર્યું હતું અને કહ્યું હતું કે દિલ્હીની જેમ અહિયાં પણ તમને મફતમાં વીજળી મળશે.
80 ટકા લોકોનું વીજળીનું બિલ ઝીરો થઈ જશે
CM કેજરીવાલે એલાન કર્યું હતું કે પંજાબમાં આપ (AAP)ની સરકાર બનશે તો દરેક પરિવારને 300 યુનિટ વીજળી મફતમાં આપવામાં આવશે. કેજરીવાલે કહ્યું કે જો આવું થાય છે ટો લગભગ 80 ટકા લોકોનું વીજળીનું બિલ ઝીરો થઈ જશે. અમારી સરકાર બનશે તો 24 કલાક વીજળી મફતમાં આવશે પણ તેનું બિલ નહીં આવે. જો જોવા જઈએ તો આજે સૌથી મોંધી વીજળી પંજાબમાં મળે છે. પંજાબમાં વીજળી ઉત્પન્ન થતી હોવા છતાંય પણ આટલો વધુ ભાવ લેવામાં આવે છે. જ્યારે દિલ્હીમાં બીજા રાજ્યો પાસેથી વીજળી લેવી પડે છે તેમ છતાંય મફતમાં વીજળી આપવામાં આવે છે.
300 યુનિટ મફત વીજળી, જૂના વીજળીના બિલ માફ
વધુમાં તેમણે કહ્યું કે પંજાબમાં અમારી સરકાર આવતા જ તમારા જૂના પેન્ડિંગ પડેલા બિલ માફ કરી દેવામાં આવશે. જે પ્રમાણે અમે દિલ્હીમાં 24 કલાક વીજળી આપીએ છીએ તે જ રીતે અમે પંજાબમાં પણ 24 કલાક મફત વીજળી આપીશું. અમારી સરકાર બનતા જ અમે પહેલો નિર્ણય વીજળી સાથે જોડાયેલો હતો. 300 યુનિટ મફત વીજળી, જૂના વીજળીના બિલ માફની પહેલી કલમ માફ કરી દેવામાં આવશે. પણ 24 કલાક મફત વીજળી આપવામાં થોડો સમય લાગશે કારણકે નવી ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવામાં થોડો સમય લાગી શકે તેમ છે.