દિલ્હી લોકસભાની તમામ 7 સીટ પર હાર પછી અરવિંદ કેજરીવાલ સરકારને પૂરુ ધ્યાન વિધાનસભા ચૂંટણી પર છે. આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં લોકસભા જેવી સ્થિતિ ના થાય તે માટે પાર્ટીએ પ્રયત્નો શરૂ કરી દીધા છે. આ માટે 'મહિલા વોટ બેંક' મહત્વનો મુદ્દો સાબિત થશે. દિલ્હી મેટ્રો અને DTC બસોમાં મહિલાઓ મફત સફર કરાવવી ભેટ આપી છે.
ચૂંટણી પંચના આંકડા અનુસાર, કુલ 1.43 કરોડ મતદાતાઓમાં 64 લાખથી વધારે મહિલા છે. મહત્વની વાત છે કે, મહિલાઓની વસ્તી સારી છે, એવામા મહિલાઓને ખુશ કરીને વિધાનસભા ચૂંટણીમાં સફળતા મેળવી શકે છે. માનવામાં આવી રહ્યો છે કે, આ 64 લાખ મહિલા વોટર્સને ટાર્ગેટ કરીને અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટી સરકારને મહિલાઓને મફત મુસાફરી કરવાની ભેટ આપાની જાહેરાત કરી છે.
સોમવારે આ સ્કીમની જાહેરાત કરતા મુખ્યમંત્રીએ કહ્યુ કે, ''2-3 મહિની અંદર સુવિધા શરૂ થઇ જશે. વિભાગોમ પાસેથી પ્રેઝેન્ટેશન માંગવવામાં આવ્યુ છે. જોકે તેમણે આ સબસ્ડિી થોપવામાં નહી આવે. જે મહિલાઓ સક્ષમ છે, તેઓ ટિકિટ લઇને યાત્રા કરી શકે છે. લાખો મહિલાઓથી જોડાયેલા આ સ્કીમથી આમ આદમી પાર્ટી સરાકરને માસ્ટરસ્ટ્રોક બતાવવામાં આવી રહ્યો છે.''
Delhi CM Arvind Kejriwal: On all DTC buses, cluster buses and metro trains women will be allowed to travel free of cost so that they have a safe travel experience and can access modes of transport which they were not able to, due to high prices. pic.twitter.com/KVqEWDIJAS
દિલ્હી મેટ્રોની વાત કરવામાં આવે તો વિભિન્ન રૂટ પર દર દિવસે એવરેજ 26 લાખથી વધારે યાત્રી સફર કરે છે, જેમાં લગભગ 30-33 % મહિલાઓ હોય છે. જો ધ્યાન આપીએ તો કેજરીવાલ સરકારના ફ્રી રાઇડ નિર્ણયથી દિલ્હીમાં દર આઠ લાખથી વધારે મહિલાઓ મફત સારવારની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. એવું પણ નથી કે દિલ્હીમાં માત્ર સામાન્ય જનતા મેટ્રોમાં સફર કરે છે પરંતુ સુખી સંપન્ન પરિવાર પણ મેટ્રોમાં સફર કરવાનું પસંદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, દિલ્હી મેટ્રો અને DTCની બસોની આ સ્કીમમાં લાગૂ થવાથી સરકાર પર દર વર્ષે લગભગ 1200 કરોડ રૂપિયાનો ખર્ચો આવશે.
આ વખતે સસ્તી વિજળી અને મફત પાણીની ભેટ પહેલાથી:
આ સિવાય 70માંથી 67 સીટ જીતી 2015માં સરકાર બનાવ્યા પછી કેજરીવાલ સરકારે 2 મોટી જાહેરાત કરીને જનતાને આકર્ષવા માટે પ્રયત્ન કર્યો હતો. આમ આદમી પાર્ટી સરકારને દિલ્હીવાસીઓ દર મહિને 20000 લિટર મફત પાણી અને 400 યૂનિટ વીજળી બિલની કિંમત અડધી કરવાની જાહેરાત કરી હતી, તે સમયે કહેવામા આવ્યુ હતુ કે વિજળી દરોની કિંમતથી 36 લાખ અને પાણી ફ્રી થવાથી 18 લાખ પરિવારને ફાયદો થયો.