પ્રધાનમંત્રી મોદીએ શનિવારે યુપીના રેવડી કલ્ચરના બહાના વિપક્ષ પર પ્રહારો કર્યા હતા, જેને લઈને ઢળતી સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો છે.
પ્રધાનમંત્રી મોદી રેવડી કલ્ચરના બહાના પર વિપક્ષ પર કર્યા પ્રહાર
રેવડી કલ્ચર પર કેજરીવાલે આપ્યો જવાબ
પીએમ મોદીના ભાષણ પર આ રીતે આપ્યો જવાબ
પ્રધાનમંત્રી મોદીએ શનિવારે યુપીના રેવડી કલ્ચરના બહાના વિપક્ષ પર પ્રહારો કર્યા હતા, જેને લઈને ઢળતી સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જવાબ આપ્યો છે. કેજરીવાલે કહ્યું કે, મારા પર આરોપ લગાવામાં આવી રહ્યા છે કે, કેજરીવાલ ફ્રીની રેવડીઓ વહેંચી રહ્યા છે. મને ગાળો આપવામાં આવી રહી છે. લોકો પાસેથી પુછવા માગુ છું કે, શું ભૂલ કરી રહ્યો છું, કેજરીવાલે કહ્યું કે, આજે બે પ્રકારની રાજનીતિ થઈ રહી છે.
કેજરીવાલે કહ્યું કે, એક ઈમાનદાર અને બીજી ભ્રષ્ટાચારની. ઈમાનદારની રાજનીતિ આપ કરી રહી છે, અમે એક એક વસ્તુમાં પૈસા બચાવીએ છીએ, જનતાને સુવિધાઓ આપીએ છીએ, બીજી બાજૂ ભ્રષ્ટાચારની રાજનીતિમાં પોતાના મિત્રોને કોન્ટ્રાક્ટ આપવામા આવી રહ્યા છે. મંત્રીઓને સુવિધાઓ આપવામાં આવી રહી છએ. જનતાને સુવિધા આપશે નહીં, આજે જનતાએ નક્કી કરવાનું છે કે, ઈમાનદારની રાજનીતિ કરવી છે કે, ભ્રષ્ટાચારની.
કેજરીવાલે કહ્યું કે, દિલ્હીની સરકારી સ્કૂલોમાં 18 લાખ બાળકો અભ્યાસ કરે છે. તેમના ભવિષ્ય અંધારામાં હતા. તેમને ફ્રી શિક્ષણ આપીને મેં શું ખોટુ કર્યું. 75 વર્ષમાં પહેલી વાર સરકારી સ્કૂલોમાં 99 ટકાથી વધારે પરિણામ આવ્યા, 4 લાખ બાળકો પ્રાઈવેટ સ્કૂલોમાંથી નામ હટાવીને સરકારી સ્કૂલોમાં ભરતી થયા. ગરીબોના બાળકો NEET ક્લિયર કરી રહ્યા છે. આ કામ 1947-1950માં થઈ જવું જોઈતું હતું. અમે દેશનો પાયો મજબૂત કરી રહ્યા છીએ. આ રેવડી નથી. આજે દિલ્હી દુનિયાભરમાં એકલુ શહેર છે, જ્યાં 2 કરોડ લોકોમાંથી એક એક માણસને મફત સારવાર મળી રહી છએ. 50 લાખનું ઓપરેશન મુફતમાં થઈ જાય છે. શું આ ફ્રીની રેવડી છે. કોઈનો અકસ્માત થઈ જાય તો, ગમે તેવી મોંઘી હોસ્પિટલમાં લઈ જાઓ, સાજા કરવાનો પુરો ખર્ચો ફરિશ્તે સ્કીમ અંતર્ગત સરકાર આપે છે.
45 હજાર વૃદ્ધોને તીર્થયાત્રા કરાવી, શું ખોટુ કર્યું
ફરિશ્તે સ્કીમ અંતર્ગત અમે 15 હજાર લોકોના જીવ બતાવ્યા, તેમને પુછો શું આ ફ્રીની રેવડી છે. તમારા મંત્રીઓને ફ્રીમાં વિજળી મળે છે. અમે લોકોને ફ્રીમાં વિજળી આપીએ છીએ, શું આ રેવડી છે. અમે 17 હજાર લોકોને ફ્રીમાં યોગા શિખવાડી રહ્યા છીએ, લગભગ 45 હજાર વૃદ્ધોને મફત તીર્થયાત્રા કરાવી ચુક્યા છે. આ તો પુણ્ય કહેવાય, પણ મને કહી રહ્યા છે કે, ફ્રીમાં રેવડી વહેંચી રહ્યા છે.
ભ્રષ્ટાચાર ખતમ કરીને સુવિધાઓ આપી રહ્યો છું
આ જે કહી રહ્યા છે, તેમણે હજારો કરોડો ખર્ચીને પ્રાઈવેટ પ્લેન લીધા. કેજરીવાલ પૈસા બચાવીને મહિલાઓને ફ્રીમાં યાત્રા કરાવે છે, મેં એન્જીનિયરીંગનો અભ્યાસ કર્યો છે, મારી પાસે નકલી ડિગ્રી નથી. દિલ્હીનું બજેટ નફામાં ચાલી રહ્યું છે. ભ્રષ્ટાચાર ખતમ કરીને હું લોકોને સુવિધા આપી રહ્યો છું તો તેમાં શું ખોટુ કર્યું ?
એક કંપની લોન લઈને ખાઈ ગઈ, પણ પાર્ટીને રૂપિયા આપ્યા અને લોન માફ થઈ ગઈ. આ ફ્રીની રેવડી છે. જ્યારે આપ વિદેશી સરકારો પાસેથી પોતાના મિત્રોને કોન્ટ્રાક્ટ આપો છો, તો આ ફ્રીની રેવડી છે. અમે પૈસા બચાવીને લોકોને સુવિધા આપી રહ્યા છીએ, બીજી બાજૂ તે પોતાના મિત્રોને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે. જનતાને સુવિધા નહીં આપે. ભગવાને આપણને બધુ આપ્યું છે, છતાં પણ નંબર વન કેમ નથી. આજે અમે દિલ્હીને ફ્રી શિક્ષણ અને સ્વાસ્થ્ય આપી રહ્યા છીએ, ભગવાને ધાર્યું તો, અમે દેશના દરેક બાળકને શાનદાર શિક્ષણ, એક એક વ્યક્તિને શાનદાર સ્વાસ્થઅય વ્યવસ્થા આપીશું. આ પાયો અમે રાખીશું. ભારતની પાસે કેપિસિટી છે. પણ તેના માટે ઈમાનદાર રાજનીતિની જરૂર છે.