દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે Delhi@2047 લોન્ચ કર્યું છે. જેમા તેઓ દિલ્હીના દરેક વ્યક્તિની આવક સિંગાપુરના સ્તર સુધી લઈ જશે.
અરવિંદ કેજરીવાલે Delhi@2047 લોન્ચ કર્યું
દિલ્હીના લોકોની આવક સિંગાપુરના સ્તર સુધી પહોચાડશે
2048 સુધીનું દિ્લ્હીનું વિઝન તૈયાર
દિલ્હીના મુખ્યમંત્રી અરવીંદ કેજરીવાલે Delhi@2047 લોન્ચ કર્યું છે. જે સીએસઆર અને પરોપકારી સંગઠનો સાથેનું એક ભાગીદારી મંચ છે. કેજરીવાલે કહ્યું અમે દિલ્હીમાં રહેતા દરેક વ્યક્તિની આવકને સિંગાપપુરના સ્તર સુધી પહોચાડીશું. સાથેજ તેમણે કહ્યું કે તેઓ આવતી વિધાનસભા ચૂંટણી પહેલા 24 કલાક માટે પાણી આપશે.
Delhi CM Arvind Kejriwal launches Delhi@2047, a platform for fostering partnerships with CSR and Philanthropic organisations
'We'll increase Delhi's per capita income to Singapore's level. We'll bid for 2048 Olympics. There should be 24x7 water supply before next polls," he says pic.twitter.com/pWhYuS1f6w
મુખ્યમંત્રી કેજરીવાલે ક્હયું કે તેઓ દિલ્હીનો ગ્લોબલ સીટીની જેમ વિકાસ કરવા માગે છે. સાથેજ તેઓ દિલ્હીની ઘણી બધી સમસ્યાઓનો અંત પણ લાવશે તેવું પણ તેમણે કહ્યું. 2048 સુધીમાં દિલ્હીનો કેવો વિકાસ કેવો થશે તેનું વિઝન પણ તેમણે બજેટ વખતે રજૂ કર્યું હતું. વધુંમાં તેમણે કહ્યું કે જે જગ્યાઓ પર સમસ્યાઓ સર્જાઈ રહી છે. ત્યાની અમે લિસ્ટ બનાવી છે.
2048માં ઓલંપિક માટે બોલી
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે બજેટ સત્રમાં દિલ્હીના દરેક વ્યક્તિની આવક સિંગાપુરના વ્યક્તિ જેટલી કરવા માટેની વાત કરી હતી. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે 2048માં અમે ઓલંપિક માટે બોલી પણ લગાવીશું. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું હતું કે દરેક લક્ષ્યને સરળતાથી નથી મળતું તેના માટે લાંબો સમયગાળો લાગે છે.
સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય છે
દિલ્હીમાં 24 કલાક પાણી મળી રહે તે માટે લાંબો સમય નહી લાગે તેવું કેજરીવાલે કહ્યું છે. આવનારા 2 થી 3 વર્ષમાં દિલ્હીના લોકોને 24 કલાક પાણી મળશે. કેજરીવાલે એવું પણ કહ્યું કે છેલ્લા 5 વર્ષના અનુભવથી એ જાણવા મળ્યું કે સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય છે.
ધારાસભ્યોને મોટી ભેટ
ઉલ્લેખનીય છે કે દિલ્લીની કેજરીવાલ સરકારે ધારાસભ્યોને મોટી ભેટ આપી છે. કેજરીવાલ સરકારે ધારાસભ્યોના પગાર વધારાને મંજૂરી આપી દીધી છે.. કેબિનેટની બેઠકમાં પગાર વધારાના પ્રસ્તાને મંજૂર કરાયો છે. હવેથી દિલ્લીના ધારાસભ્યોને 12 હજારના સ્થાને 30 હજાર પગાર મળશે.. એટલે કે તમામ ભથ્થા સાથે અગાઉ 54 હજાર પગાર મળતો હતો. તેના સ્થાને હવે ભથ્થા સાથે 90 હજાર પગાર આપવામાં આવશે.. 2011 બાદથી દિલ્લીના ધારાસભ્યોના વેતનમાં કોઈ વધારો કરાયો ન હતો.. દિલ્લી કેબિનેટ દ્વારા પાસ કરાયેલા પ્રસ્તાવને હવે કેન્દ્ર સરકારની મંજૂરી માટે મોકલવામાં આવશે. કેન્દ્રની મંજૂરી બાદ દિલ્લી સરકાર દિલ્લી વિધાનસભામાં બિલ લઈને આવશે જે બાદ પગાર વધારો લાગુ થશે.