દિલ્લીમાં રહી ગુજરાતમાં જાહેરાત શા માટે કરવામાં આવી રહી છે. કેજરીવાલે જાતે જ અહીં આવીને જાહેરાતો કરવી જોઈએ: પાટીલ
પાટીલના કેજરીવાલ પર પ્રહાર
પાટીલે રાહુલ ગાંધી પર પણ કર્યા પ્રહાર
દિલ્લી મોડલ ગુજરાતમાં નહીં બની શકે: પાટીલ
સુરતમાં ભાજપ દ્વારા આજે ચૂંટણીનો મેનિફેસ્ટો જાહેર કરાયો છે. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હાજર રહ્યા હતા. તે દરમિયાન આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલ પર પ્રહાર કર્યા છે. પાટીલે કહ્યું કે, દિલ્લીમાં રહી ગુજરાતમાં જાહેરાત શા માટે કરવામાં આવી રહી છે. કેજરીવાલે જાતે જ અહીં આવીને જાહેરાતો કરવી જોઈએ. સાથે કહ્યું કે, દિલ્લી મોડલ ગુજરાતમાં બની શકશે નહીં. સૌથી ઓછો વીજદરનો ભાવ ગુજરાતમાં છે.
આ સાથે કોંગ્રેસને પણ આડેહાથ લીધી હતી. સી.આર.પાટીલે રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા. રાહુલે કહેવું જોઇએ, ગુજરાતીઓ સારું કાર્ય કરી રહ્યાં છે. ચિઠ્ઠીમાંથી વાંચી ગુજરાતીઓનું અપમાન ન કરવુ જોઇએ. ગુજરાતની જનતા રાહુલ ગાંધીને યોગ્ય જવાબ આપશે.