દેશની રાજધાનીમાં એક વાર ફરી કોરોનાના કેસ વધતા જોવા મળી રહ્યા છે. મંગળવારે અહીં 6725 કેસ આવ્યા હતા. જે બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું છે કે દિલ્હીમાં કોરોનાની સંક્રમણની ત્રીજી લહેર આવી હોવાનું કહેવાઈ રહ્યું છે. તેમણે કહ્યં કે અમે હવે અગ્રેસિવ રીતે ટેસ્ટિંગ કરવાનું શરુ કર્યું છે જે બાદ આંકડા વધતા નજર આવી રહ્ય છે. તેમણે કહ્યું કે આ પહેલા કન્ઝસ્ટડ વિસ્તારમાં ફેલાયેલો હતો. પરંતુ હવે આ અપર ક્લાસમાં પણ આવી ગયો છે. ત્યારે અપર ક્લાસના લોકો ખાનગી હોસ્પિટલો વધારે પસંદ કરી રહ્યા છે. જેના કારણે બેડ ભરાઈ ગયા છે.
ગ્રુપમાં વધારે પડતા લોકો પોઝિટિવ આવી રહ્યા છે
અમે હવે અગ્રેસિવ રીતે ટેસ્ટિંગ કરવાનું શરુ કર્યું
મંગળવારે અહીં 6725 કેસ આવ્યા હતા
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે કન્ટેન્ટમેન્ટ જોન વધારવામાં આવી રહ્યા છે. ત્યારે જો 3-4 કેસ પણ છે તો ત્યાં કન્ટેનમેન્ટ જોન બનાવવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે ખાનગી હોસ્પિટલોમાં 80 ટકા બેડ રિઝર્વ કર્યા હતા જેના પર હઈકોર્ટે મનાઈ ફરમાવી છે. હવે અમે સુપ્રીમ કોર્ટ જઈશું. ત્યારે થોડા સમય પહેલા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને રાજધાનીમાં કોરોનાનો સૌથી ખતરનાક સમય આવવાની શક્યતા વ્યક્ત કરી છે. એક્સપર્ટ કમિટીના હવાલાથી જૈને કહ્યું હતું કે આવનારા દિવસોમાં બહું સાવધાનીની જરુર છે.
જોકે સ્વાસ્થ્ય મંત્રીએ વધતા પોઝિટિવિટી રેટ પર કહ્યું કે જે લોકો નિયમોનું પાલન નહીં કરી શકતા તેમને દંડવામાં આવી રહ્યા છે. ઘણી કડકાઈ વર્તી રહ્યા છીએ. પરંતુ ઘણા લોકો એક બીજાને મળી રહ્યા છે. કોઈ પણ પોઝિટિવ આવે છે તો તેના તમામ કોન્ટેક્ટને ટ્રેસ કરવામાં આવે છે. જે તેના કોન્ટેક્ટમાં છે તે તમામનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. એક પરિવારમાં કોઈ એક પોઝિટિવ આવે તો પુરા પરિવારને ઘરે રાખવામાં આવે છે. તેમના ટેસ્ટ કરવામાં આવે છે. જેમાં ઘણા લોકો પોઝિટિવ આવી રહ્યા છે. તો તેના કારણે પોઝિટિવિટી રેટ વધી રહ્યો છે. ગ્રુપમાં વધારે પડતા લોકો પોઝિટિવ આવી રહ્યા છે.