દિલ્હી સરકારે ફિક્સ્ડ વીજળી ચાર્જમાં દિલ્હીના કારોબારીઓને રાહત આપી છે. ડીઈઆરસીએ બિન ઘરેલૂ, વાણિજ્ય અને ઔધ્યોગિક ગ્રાહકો માટે નક્કી શુલ્કમાં 50 ટકાનો ઘટાડો કર્યો છે. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે સંકટની આ ઘડીમાં સરકાર દિલ્હીના લોકોની સાથે છે. ફિક્સ્ડ ચાર્જમાં આ રાહતથી લાખો લોકોને કોરોનાના કારણે થનારી મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ મળશે.
કેજરીવાલ સરકારે આપી મોટી રાહત
કારોબારીઓને મળશે વીજળી બિલમાં 50 ટકાનો ઘટાડો
ફિક્સ્ડ ચાર્જમાં મળી મોટી રાહત
કારોબારીઓને વીજળી બિલમાં મળી 50 ટકાની રાહત
બિન ઘરેલૂ, વાણિજ્ય અને ઔદ્યોગિક ગ્રાહકોની સમસ્યાઓ અને ઉદ્યોગ સંઘની માંગને જોતાં દિલ્હી વિદ્યુત નિયામક આયોગે એપ્રિલ 2020 અને મે 2020માં પૂર્ણ લોકડાઉન સમયે વીજળીના ફિકસ્ડ ચાર્જને 50 ટકા ઘટાડ્યો છે. આ સમયે ગ્રાહકોને 250 રૂપિયા પ્રતિ કેવીએ દર મહિનાને બદલે 125 રૂપિયા પ્રતિ કેવીએ દર મહિને બિલ આપવાનું રહેશે. આ સમયે કુલ અપ્રયુક્ત ક્ષમતા 80 ટકા હતી તેમાંથી 84 ટકા બિન ઘરેલૂ ગ્રાહકો સંબંધિત છે અને ઔદ્યોગિક ગ્રાહકો માટે 75 ટકા છે.
Delhi govt stands with the people of Delhi in this hour of crisis. This relief in fixed charges will help lakhs of people to face hardships caused by Corona. pic.twitter.com/1DPwVOWXYc
દિલ્હીના વીજળી મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે આ બિન ઘરેલૂ અને વાણિજ્યિક ગ્રાહકોને માટે એક મોટી રાહત હશે. આ છૂટ આપવા પર સરકાર પર લગભગ 1600 કરોડ રૂપિયાનો ભાર પડશે. તેનાથી લગભગ 44000 ઔદ્યોગિક ગ્રાહકો અને લગભગ 10 લાખ બિન ઘરેલૂ અને વાણિજ્યિક ગ્રાહકોને લાભ મળશે.
સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું છે કે દિલ્હી સરકાર સંકટની ઘડીમાં લોકોની સાથે છે. ફિક્સ્ડ ચાર્જમાં રાહત આપવાથી કોરોનાના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહેલા લોકોને મદદ મળશે.