ત્યાર બાદ દિલ્હીમાં ભાજપ અને આપ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરુ થયા
કેજરીવાલે દિલ્હી વિધાનસભાનું એક દિવસીય સત્ર બોલાવ્યું
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાના નિવાસ સ્થાને સીબીઆઈના દરોડા બાદ કેજરીવાલ સરકારે દિલ્હી વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ નિર્ણય સીબીઆઈના દરોડા બાદ ગરમાયેલા રાજકારણની વચ્ચે લીધો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે 26 ઓગસ્ટના રોજ દિલ્હી વિધાનસભાનું એક દિવસીય વિશેષ સત્ર બોલાવ્યું છે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ પોતાના નિવાસસ્થાન પર રાજકીય બાબતોની સમિતિની બેઠક બોલાવી છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના તમામ ધારાસભ્યોને ગુરુવારે 11 વાગ્યે હાજર રહેવા જણાવ્યું છે. પાર્ટીએ કહ્યું છે કે, દિલ્હી સરકારને ભાજપ તોડવાનો પ્રયાસ કરી રહી છે. આપને જણાવી દઈએ કે, આબકારી નીતિને લઈને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાના આવાસ અને અન્ય ઠેકાણા પર દોરડા બાદ ભાજપ અને આપ વચ્ચે આરોપ-પત્યારોપ ચાલી રહ્યા છે.
મંગળવારે સિસોદીયાના પૈતૃત ગામ સુધી પહોંચી ગઈ હતી સીબીઆઈ
નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાના પૈતૃત ગામ શાહપુર ફગૌતા (હાપુડ જિલ્લો-યુપી)માં મંગળવારે બપોરે સીબીઆઈની ટીમ પહોંચી અને તેમના કાકા સોનવીરને ખેતરમાં લઈ જઈને પુછપરછ કરી હતી. નાયબ મુખ્યમંત્રી હાલના દિવસોમાં પોતાના ગામના એક મંદિરનું નિર્માણ કરાવ્યું છે. તેના વિશે પણ જાણકારી લેવામાં આવી હતી.