દિલ્હીમાં સરકારી અધિકારીઓનો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મામલો સમર્થન મેળવવાના આશયથી AAP નેતા અરવિંદ કેજરીવાલે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી કરી હતી.
દિલ્હીમાં સરકારી અધિકારીઓનો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મામલો
અરવિંદ કેજરીવાલે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી
આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દેશ વ્યાપી સમર્થન અભિયાન
દિલ્હીમાં સરકારી અધિકારીઓનો ટ્રાન્સફર અને પોસ્ટિંગનો મામલો ગરમાઈ રહ્યો છે. જેમાં કેન્દ્રના વટહુકમ સામે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દેશ વ્યાપી સમર્થનમાં જોડાવા અભિયાન શરૂ કરાયું છે. આ મામલે સમર્થન મેળવવાના આશયથી AAP નેતા અરવિંદ કેજરીવાલે મંગળવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પ્રેસ કોન્ફ્રરન્સનું આયોજન કરાયું હતું. જેમાં મમતાએ દિલ્હી સરકારને ખુલ્લે આમ ટેકો આપ્યો હતો અને તેઓએ આ વટહુકમનો વિરોધ કરવા ખાતરી આપી હતી. વધુમાં એમ પણ કહ્યું હતું કે અમને ડર છે કે કેન્દ્ર સરકાર સંવિધાન પણ બદલી શકે છે. આવી સ્થિતિ હોવાથી કોંગ્રેસે આપને સમર્થન આપવુ જોઈએ.
Kejriwal meets West Bengal CM Mamata Banerjee to ensure bill on Delhi services is not passed in Rajya Sabha
કેન્દ્ર સરકારનો આકરો વિરોધ
વટહુકમ મામલે આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મંગળવારે પશ્ચિમ બંગાળ પહોંચ્યા હતા. જેની સાથે પંજાબના સીએમ ભગવંત માન, રાજ્યસભાના સાંસદ સંજય સિંહ, રાઘવ ચઢ્ઢા અને મંત્રી આતિશી સિંહ સહિતના નેતાઓ જોડાયા હતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને મળ્યા બાદ તમામે કેન્દ્ર સરકાર પર આકરો વિરોધ નોંધાવ્યો હતો.
Delhi CM & AAP national convenor Arvind Kejriwal to meet Uddhav Thackeray in Mumbai tomorrow, in an attempt to gather support of opposition parties against Centre's ordinance
નોંધનિય છે કે કેન્દ્ર સરકાર 'નેશનલ કેપિટલ સિવિલ સર્વિસ ઓથોરિટી' બનાવવા માટે વટહુકમ લાવી છે. જેને કાયદેસર કરવા છ મહિનામાં સંસદમાંથી મંજૂરીની મહોર લગાવવી જરૂરી છે અને આ સમયગાળા દરમિયાન તે પસાર કરવામાં નહીં આવે, તો આ વટહુકમ આપોઆપ સમાપ્ત થય જશે.મહત્વનું છે કે કેન્દ્રના વટહુકમ સામે વિરોધ પક્ષોનું સમર્થન એકત્ર કરવાના પ્રયાસરૂપે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આવતીકાલે મુંબઈમાં ઉદ્ધવ ઠાકરેને મળશે.