દિલ્હીના મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) એ બુધવારે પહેલીવાર પ્રેસ કોન્ફરન્સ કરી. આ પહેલા તેઓએ આજે ગૃહ મંત્રી અમિત શાહની સાથે મુલાકાત પણ કરી હતી. પત્રકારો સાથે વાતચીતમાં અરવિંદ કેજરીવાલે કહ્યું કે ઘણા લોકો સવાલ પૂછી રહ્યા છે કે મેં કેમ પોતાની પાસે કોઇ મંત્રાલય ન રાખ્યું? તેનો જવાબ એ છે કે મારી પહેલી અને પૂર્ણ પ્રતિબદ્ધતા દિલ્હી વાસીઓ પ્રત્યે છે.
મુખ્યમંત્રી પદની શપથ લીધા બાદ અરવિંદ કેજરીવાલએ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી
ગૃહ મંત્રી અમિત શાહ, શાહીન બાદના મુદ્દા પર કરી વાતચીત
અરવિંદ કેજરીવાલે કહ્યું, મારી પહેલી પ્રતિબદ્ધતા દિલ્હી વાસીઓ પ્રત્યે છે
તેઓએ કહ્યું કે, દિલ્હીના લોકોએ મને ખુબ જ મોટી જવાબદારી આપી છે. દિલ્હીના લોકોની આ જવાબદારી સુયોગ્ય રીતે નિભાવવા માટે જ મેં કોઇ પોર્ટફોલિયો નથી રાખ્યો કેમકે તેનાથી મને તમામ મંત્રીઓના કામો પર ધ્યાન આપવામાં અને એક મોટી તસવીર જોવામાં મદદ મળે છે.
Delhi CM Arvind Kejriwal, when asked if Home Minister Amit Shah and he discussed the matter of Shaheen Bagh during their meeting: There was no discussion on that. https://t.co/IerGZ6SKyW
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, જો તમે કોઇ વિભાગની નાની મોટી વાતોમાં મુંઝવણમાં મુકાઇ જાઓ તો કામમાં સમસ્યા આવે છે. ગત સરકારમાં પણ મેં મારી પાસે કોઇ પોર્ટફોલિયો રાખ્યો નહોતો. આ સાથે જ તેઓેએ કહ્યું કે બુધવારે એક મહત્વપૂર્ણ બેઠક થઇ જેમા દિલ્હી સરકારના તમામ વિભાગોના પ્રમુખો અને મંત્રીઓને બોલાવવામાં આવ્યા હતા.
આ બેઠકમાં અમે જે પોતાના ગેરન્ટી કાર્ડમાં 10 વચન કર્યા હતા તેનાથી જોડાયેલા તમામ વિભાગોને આવનારા 1 સપ્તાહમાં પ્લાન તૈયાર કરવા માટે કહ્યું છે. દરેક વિભાગ પોતાના પ્લાનમાં બતાવશે કે સબંધિત ગારન્ટીને પૂર્ણ કરવા માટે શું સમય મર્યાદા હશે અને કેટલું બજેટ જોઇશે.
ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાતના મુદ્દા પર તેઓએ કહ્યું કે બંને એ વાત પર સહમત હતા કે દિલ્હીના વિકાસ માટે કેન્દ્ર સરકાર અને દિલ્હી સરકાર મળીને કામ કરે. શાહીન બાગના મુદ્દા પર સવાલ કરતા તેઓએ કહ્યું કે, શાહીન બાગ પર અમારી કોઇ વાત થઇ નથી.