દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મહિલાઓની સુરક્ષા માટે ડીટીસી બસોમાં માર્શલો તહેનાત કર્યા હતા. હવે કેજરીવાલ સરકાર તેના ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં મહિલા સુરક્ષા પ્રત્યે બીજુ મોટું પગલું લઈ શકે છે. રાજ્ય સરકાર હવે ચુંટણીનાં વચનો પૂરાં કરીને ટૂંક સમયમાં દિલ્હીનાં વિસ્તારોમાં મહોલ્લા માર્શલની તહેનાત કરવાની જાહેરાત કરી શકે છે.
દિલ્હીમાં ફરીવાર કેજરીવાલ બન્યા મુખ્યમંત્રી
ચૂંટણી ઢંઢેરામાં કરેલો વાયદો કર્યો પૂર્ણ
મહોલ્લા કિલનીક બાદ મહોલ્લા માર્શલ જોવા મળશે દિલ્હીમાં
આ માટે શુક્રવારે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ મહિલા અને બાળ કલ્યાણ વિભાગના પ્રધાન રાજેન્દ્ર પાલ ગૌતમને મળ્યા. માલીવાલ અને ગૌતમ વચ્ચેની બેઠક દરમિયાન મંત્રીએ મહોલ્લા માર્શલની પોસ્ટ માટે સંમતિ આપી હતી. આ દરમિયાન એસસી અને એસટી સમાજની મહિલાઓ માટે કલ્યાણકારી સેલ બનાવવાની યોજના અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
ચૂંટણી ઢંઢેરામાં આપેલું વચન કર્યું પુરુ
નોંધપાત્ર વાત એ છે કે, દિલ્હી મહિલા આયોગે નાગરિક સંરક્ષણ અધિકારીઓ સાથે મળીને બુરાડી વિસ્તારમાં મોહલ્લા માર્શલની નિમણૂક કરી હતી, જેનાં પરિણામો સંતોષકારક હતા. દિલ્હી વિધાનસભાની ચૂંટણી માટે જાહેર કરેલા તેના ચૂંટણી ઢંઢેરામાં, આમ આદમી પાર્ટીએ તમામ ક્ષેત્રે મહિલાઓની સુરક્ષા માટે મોહલ્લા માર્શલો તૈનાત કરવાનું વચન આપ્યું હતું.
मंत्री @AdvRajendraPal जी के साथ आज कई अहम मुद्दों को लेकर बैठक हुई। पूरी दिल्ली में जल्द "मोहल्ला मार्शल" की तैनाती & DCW में SC/ST महिला वेलफेयर सेल बनाने का फैसला लिया गया। दिल्ली सरकार के ये दोनो ही फ़ैसले महिला सुरक्षा के लिए बहुत कारगर साबित होंगे! pic.twitter.com/l2ygC1aaw4
હવે જ્યારે અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ દિલ્હીમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીની સરકાર બનાવવામાં આવી છે, ત્યારે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ અને મંત્રી ગૌતમની બેઠક બાદ એવી અટકળો વહેતી થઈ રહી છે કે મંત્રીમંડળની બેઠકમાં ટૂંક સમયમાં આ પ્રસ્તાવ લાવવામાં આવી શકે છે. દિલ્હી મહિલા પંચનું કહેવું છે કે તેના પરિણામો પાયલોટ પ્રોજેક્ટ તરીકે સંતોષકારક હતા, તેથી તેનો અમલ દિલ્હીની તમામ 70 વિધાનસભા મત વિસ્તારોમાં કરવામાં આવશે.