દિલ્હી નગર નિગમની ચૂંટણી પહેલા ત્રણ એમસીડીને એક કરનારા બિલને લઈને રાજકીય ધમાસાલ ચાલું છે. કેજરીવાલે એમસીડી ચૂંટણીને લઈને ભાજપને પડકાર ફેંક્યો છે.
અરવિંદ કેજરીવાલે ભાજપને આપી ચેલેન્જ
દિલ્હી એમસીડીની ચૂંટણી ટાળવાનો આરોપ
ભાજપને ફેંક્યો લલકાર
દિલ્હી નગર નિગમની ચૂંટણી પહેલા ત્રણ એમસીડીને એક કરનારા બિલને લઈને રાજકીય ધમાસાલ ચાલું છે. દિલ્હી નગર નિગમોનું વિલયને લઈને આકરાંપાણીએ થયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપને સમય પર ચૂંટણી કરાવવા અને જીતવાની ચેલેન્જ આપી છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપમાં હિંમત હોય તો, સમય પર ચૂંટણી કરાવે અને તેમાં જીતીને દેખાડે. તેમણે તો ત્યાં સુધી કહ્યું કે, જો એમસીડી ચૂંટણીમાં ભાજપ જીતી જાય છે, તો તેઓ રાજનીતિ છોડી દેશે.
દુનિયાની સૌથી મોટી પાર્ટી આમ આદમીથી ડરી ગઈ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપે દિલ્હી નગર નિગમની ચૂંટણી ટાળીને શહીદોનું અપમાન કર્યું છે, જેમણે અંગ્રેજો વિરુદ્ધ દેશમાંથી ભગાડીને દેશમાં લોકતંત્રની સ્થાપના કરવા માટે કુરબાનીઓ આપી હતી. આજે આ લોકો હારના ડરના કારણે ચૂંટણી ટાળી રહ્યા છે. કાલે આ લોકો રાજ્ય અને દેશની ચૂંટણી પણ ટાળી દેશે. તેમણે આગળ કહ્યું કે, ભાજપ પોતાની જાતને દુનિયાની સૌથી મોટી પાર્ટી માને છે. કમાલ છે. દુનિયાની સૌથી મોટી પાર્ટી એક આમ આદમી પાર્ટીથી ડરી ગઈ ? હિંમત હોય તો, MCD ચૂંટણી સમય પર કરાવીને જીતીને બતાવો.
કેજરીવાલે આપી ચેલેન્જ
આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, ભાજપ એમસીડી ચૂંટણી ટાળી રહી છે. આ દિલ્હીની ત્રણ નિગમોને એક કરી રહ્યા છે. શું આના કારણે ચૂંટણી ટાળવામાં આવી. કાલે આ લોકો ગુજરાત પણ હારી રહ્યા હશે, તો આ ચૂંટણી પમ ટાળી દેશે. ગુજરાત અને મહારાષ્ટ્રને એક કરી રહ્યા છે ? આ જ પ્રકારનું કોઈ બહાનું બનાવીને લોકસભા ચૂંટણી પણ ટાળી દેશે ? તેમણે કહ્યું કે,જો ભાજપ દિલ્હીમાં સમય પર ચૂંટણી કરીને જીતી બતાવે હું રાજનીતિ છોડી દઈશ.
દિલ્હી વિધાનસભામાં બજેટ સત્ર
આપને જણાવી દઈએ કે, આજથી દિલ્હી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે, જે 29 માર્ચ સુધી ચાલશે. ઉપરાજ્યપાલ અનિલ બૈઝલના અભિભાષણ બાદ બજેટ સત્રની શરૂઆત થઈ. માનવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના નાણામંત્રી મનીષ સિસોદિયા 26 માર્ચે દિલ્હી વિધાનસભામાં દિલ્હીનું બજેટ રજૂ કરશે.