ગુજરાતમાં આવનારી વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરવા તમામ પક્ષો જોર લગાવી રહ્યાં છે. ત્યારે આ વખતે ગુજરાતમાં AAP પણ મિશન 2022ને લઇને એક્શન મોડમાં આવી ગયું છે.
જો AAPની સરકાર આવશે તો ગેરકાયદેસર દારૂ પણ બંધ થઈ જશે
ગેરકાયદેસર રીતે વેચાઈ રહેલા દારૂના પૈસા કોની પાસે જાય છે? : કેજરીવાલ
આજ રોજ દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં સુરતની મુલાકાતે છે. ત્યારે સુરતમાં તેઓએ ફ્રી વીજળી અને સસ્તી વીજળી અંગે મોટી જાહેરાત કરી છે. તો બીજી બાજુ અરવિંદ કેજરીવાલે દારૂબંધી અંગે પણ મોટું નિવેદન આપતા જણાવ્યું કે, 'ગુજરાતમાં AAPની સરકાર આવશે તો ગેરકાયદેસર દારૂ પણ બંધ થઈ જશે.'
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહેલા દારૂના પૈસા કોની પાસે જાય છે? : કેજરીવાલ
કેજરીવાલે ગેરકાયદેસર દારૂના વેચાણ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. આથી, જો ગુજરાતમાં AAPની સરકાર આવશે તો ગેરકાયદેસર દારૂ પણ બંધ થઈ જશે. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વેચાઈ રહેલા દારૂના પૈસા કોની પાસે જાય છે? ગુજરાતમાં દારૂ મળે છે એવું સાંભળ્યું છે તો શું અહીં ગેરકાયદેસર દારૂ મળે છે? અમે ગુજરાતમાં દારૂબંધી તો લાગુ રાખીશું સાથે ગુજરાતમાં ગેરકાયદેસર રીતે દારૂ વેચવા પણ નહીં દઇએ. અમે ઇમાનદાર લોકો છીએ, અમારી પાર્ટીને ગેરકાયદેસર દારૂ વેચીને પાર્ટી માટે ફંડ એકત્ર કરવાની જરૂર નથી.'
કેજરીવાલે આજે ગુજરાતમાં 300 યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે
અત્રે નોંધનીય છે કે, કેજરીવાલે સુરતમાં આજે ગુજરાતમાં સરકાર બનતાની સાથે 3 મહિનાની અંદર ફ્રીમાં 24 કલાક વીજળી અને 300 યુનિટ ફ્રી વીજળી આપવાની જાહેરાત કરી છે. સાથે 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ કરવાની પણ જાહેરાત કરી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 21, 2022
અરવિંદ કેજરીવાલે સુરતમાં ફ્રી વીજળી અને સસ્તી વીજળીને લઇને ગેરંટી આપતા જણાવ્યું કે, 'જો અમારી સરકાર બની તો સરકાર બનતા જ 3 મહિનાની અંદર અમે તમામ પરિવારોને 300 યુનિટ મફત વીજળી પ્રદાન કરીશું. તમામ શહેરો અને ગામડાઓમાં 24 કલાક વીજ પુરવઠો પૂરો પાડીશું તેમજ 31 ડિસેમ્બર 2021 સુધીના જૂના ઘરેલુ વીજબિલો માફ કરી દેવાશે. ફ્રી વીજળી આપવી એ એક મેજિક છે અને આ મેજિક ઉપરવાળાએ મને જ આપી છે. દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું તે અમે હવે ગુજરાતમાં કરીશું.'
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) July 21, 2022
ગેરંટી પૂરી નહીં કરીએ તો ફરી વોટ માંગવા નહીં આવીએ : કેજરીવાલ
કેજરીવાલે કહ્યું, 'સરકારે 15 લાખ આપવાની વાતો કરી હતી પરંતુ અમે કોઇ રાજનીતિ નથી કરી રહ્યાં. કારણ કે AAP ઇમાનદાર લોકોની પાર્ટી છે. અમે જે કહીએ છીએ તે કરીએ છીએ. ગેરંટી પૂરી નહીં કરીએ તો ફરીથી વોટ માંગવા નહીં આવીએ.'
લોકો મને કહેતા હતા કે ગુજરાતને બચાવી લો : કેજરીવાલ
વધુમાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, 'હમણાંથી ઘણી વાર હું ગુજરાત આવ્યો છું. લોકો મને કહેતા હતા કે ગુજરાતને બચાવી લો. ગુજરાતમાં લોકો ખૂબ ડરમાં છે. હવે લોકો ગુજરાતમાં બદલાવ ઇચ્છે છે. ગુજરાતના લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. ગુજરાતમાં વીજળી ખૂબ મોંઘી થઇ ગઇ છે. પંજાબમાં સરકારે 3 મહિનામાં વીજળી ફ્રી કરી દીધી આથી હવે ગુજરાતના લોકો પણ ફ્રી વીજળી ઇચ્છે છે.'
બીલ માફ કરવાથી સરકાર પર કોઇ બોજ નહીં પડે : કેજરીવાલ
ગુજરાતમાં ચૂંટણી પહેલા AAP નેતા કેજરીવાલે વીજ ગેરંટીના 3 મોટા વાયદા આપતા કહ્યું કે, જો ગુજરાતમાં અમારી સરકાર બનશે તો 3 મહિનામાં અમે દિલ્હી અને પંજાબ બાદ ગુજરાતમાં પણ દર મહિને 300 યુનિટ મફત વીજળી મળશે, ગુજરાતનાં તમામ ગામડાઓ અને શહેરોમાં પાવરકટ વગર 24 કલાક વીજળી મળી રહેશે. સાથે 31 ડિસેમ્બર 2021 સુધીના બધા જૂના ઘરેલુ વીજ બિલ માફ કરી દેવાશે.' કેજરીવાલે કહ્યું 'મોટા ભાગના વાંધાજનક બીલો ખોટા છે. બીલ માફ કરવાથી સરકાર પર કોઇ બોજ નહીં પડે. ખોટા બીલના કારણે જે વીજ કનેક્શન કપાયા છે તે ચાલુ થઇ જશે.'