લોકસભા ચૂંટણીને લઇને પ્રચારમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી (BJP) પર આમ આદમી પાર્ટી (AAP)ના 7 ધારાસભ્યોને ખરીદવાનો આરોપ લગાવ્યો છે. કેજરીવાલે PM મોદી પર નિશાનો સાધતા કહ્યુ કે, ''ભાજપે તેમના ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયાની ઑફર આપી છે.'' એક ચૂંટણી જનસભામાં તેમણે કહ્યુ કે, ગત 3 દિવસોમાં પાર્ટીના 7 ધારાસભ્યોએ જણાવ્યુ કે, ''ભાજપના નેતા તેમનો સંપર્ક કરીને પાર્ટી છોડવા માટે 10 કરોડ રૂપિયા ઑફર આપી રહ્યા છે.''
BJP tried to buy atleast 7 AAP MLAs by offering Rs 10 crore to each: Arvind Kejriwal
કેજરીવાલે કહ્યુ કે, ''ભાજપના નેતા અમારા ધારાસભ્યોને ખરીદવા ઇચ્છે છે.આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શોભા નથી આપતુ.'' કેજરીવાલે તેમ પણ કહ્યુ કે, 2 દિવસ પહેલા પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ''તેઓ મમતા બેનર્જીના 40 ધારાસભ્યોને ખરીદશ અને તેમની સરકાર પાડશે. લોકસભા ચૂંટણી પછી મમતા બેનર્જીની સરકાર થવી મુશ્કેલ છે.''
ઉલ્લેખનીય છે કે, જોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે, ''પશ્ચિમ બંગાળની જનતા સાથે દગો કરવાવાળા દીદી, માત્ર આટલું સમજી લો કે આ દેશ ભૂલ માફ કરી શકે છે પરંતુ દગો નહીં. દીદી તમારી જમીન ખસવાવાળી છે અને જોઈ લેજો કે 23મી તારીખ પછી દરેક જગ્યાએ કમળ ખીલવાવાળું છે અને તમારા ધારાસભ્ય તમને છોડીને ભાગી જશે. આજે પણ તમારા 40 ધારાસભ્ય અમારા સંપર્કમાં છે. દીદી તમારું બચવું મુશ્કેલ છે કારણ કે તમે દેશની જનતા સાથે દગો કર્યો છે.''
આ સિવાય અરવિંદ કેજરીવાલે વોટર્સને કહ્યુ કે, ''જો દિલ્હીમા 7 સાસંદ AAPના હશે તો કેન્દ્રમાં મજબૂતી વધશે. અમે દિલ્હીના વિકાસ માટે કામ કરીશું. કેન્દ્રમાં ભાજપ સરકારે હંમેશા અમારા રસ્તામાં અડચણો ઉભી કરી છે.''