ગુજરાતની વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. આ મુદ્દે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા.
અરવિંદ કેજરીવાલના ભાજપ પર પ્રહાર
યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે કર્યા પ્રહાર
દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરોઃ કેજરીવાલ
ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસમાં જ થઈ શકે છે. વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.
દરેક સમાજને સાથે રાખીને બનાવવો જોઈએ કોડઃ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, સંવિધાનના આર્ટિકલ 44માં સ્પષ્ટ લખેલું છે કે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાની સરકારની જવાબદારી છે. તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. સરકારે દરેક સમાજને સાથે રાખીને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જઈએ.
ઉત્તરખંડમાં પણ એક સમિતિ બનાવી હતીઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપે કેવું કર્યું ઉત્તરાખંડની ચૂંટણી પહેલા એક સમિતિ બનાવી, ચૂંટણી જીત્યા બાદ આ સમિતિ ઘરભેગી થઈ ગઈ. હવે ગુજરાતમાં ચૂંટણી પહેલા એક સમિતિ બનાવવામાં આવી, આ સમિતિ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ ઘરભેગી થઈ જશે.
Constitution में लिखा है Uniform Civil Code बनाना Govt की ज़िम्मेदारी है
सभी समुदायों को साथ लेकर UCC बनना चाहिए
BJP की नियत खराब है। UK और अब Gujarat चुनाव के पहले समिति बनाई, चुनाव के बाद समिति घर गई
દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જોઈએઃ કેજરીવાલ
તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં કેમ નથી બનાવતા?, જો તેમની નિયત યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવાની છે તો દેશમાં કેમ નથી બનાવતા. દેશભરમાં લાગુ કરી દો યુનિફોર્મ સિવિલ કોર્ડ. શું લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા છો?
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નાગરિકોની માંગને લઇને સરકાર દ્વારા આજે યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિર્ણય લેવાયો છે અને રાજ્યમાં તમામ નાગરિકો માટે કાયદો સમાન હોય તે માટે બંધારણના પ્રકરણ 4ની કલમ 44 અંતર્ગત કમિટીની રચના કરવામાં આવશે.
શુ છે યૂનિફોર્મ સિવિલ કોડ?
યૂનિફોર્મ સિવિલ કોડથી દરેક ધર્મ માટે એક સમાન કાયદો બને અમલી
દેશમાં અત્યારે અલગ-અલગ ધર્મ માટે છે પર્સનલ-લૉ
દરેક ધર્મના પર્સનલ-લૉમાં એકરૂપતા લાવવાનો ઉદ્દેશ્ય
દેશના દરેક નાગરિક માટે એક સમાન કાયદાની જોગવાઈ
દરેક ધર્મ, જાતિ માટે એક સમાન કાયદાની જોગવાઈ
યૂનિફોર્મ સિવિલ કોડથી એક નિષ્પક્ષ કાયદો બને જેને કોઈ ધર્મ સાથે નિસ્બત ન રહે