ચલણી નોટો પર લક્ષ્મીજી-ગણેશજીની તસવીર લગાવો: કેજરીવાલ
જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં?: કેજરીવાલ
આમ આદમી પાર્ટી સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજ રોજ પ્રેસ કોન્ફરન્સ યોજી ભારતીય ચલણી નોટોને લઇને મહત્વનું નિવેદન આપતા કહ્યું કે, 'મોદી સરકારને મારી અપીલ છે કે ભારતમાં ચલણી નોટો પર ગાંધીજીની તસવીર સાથે લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર પણ લગાવવામાં આવે.'
ઇન્ડોનેશિયામાં 85% વસ્તી મુસ્લિમ, છતાં તેઓએ ગણેશજીની તસવીર લગાવી: કેજરીવાલ
વધુમાં કેજરીવાલે જણાવ્યું કે, 'અમે એમ નથી કહી રહ્યાં કે તમામ નોટો બદલવામાં આવે. પરંતુ જે નવી નોટો છાપવામાં આવે તેની પર લક્ષ્મીજી અને ગણેશજીની તસવીર હોય. ઇન્ડોનેશિયા એક મુસ્લિમ દેશ છે. ત્યાં 85% વસ્તી મુસ્લિમ છે, 2% હિંદુ છે, તેમ છતાં તેઓએ ચલણી નોટો પર ગણેશજીની તસવીર લગાવી છે.'
If Indonesia can do it; choose Ganesh Ji, so can we... I will write to the centre tomorrow or the day after tomorrow to appeal for it... we need the almighty's blessings apart from the efforts to settle the economic condition of the country: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/jqAOVPOhXg
જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં?: કેજરીવાલ
કેજરીવાલે કહ્યું કે, 'અમે ઈચ્છીએ છીએ કે દરેક પરિવાર અમીર બને, એ માટે ઘણા બધા પગલાં લેવા પડશે. સારી સ્કૂલો, હોસ્પિટલો અને પાયાની મૂળભૂત સુવિધાઓ જનતાને ઉપલબ્ધ કરાવવી પડશે. આ ત્યારે જ શક્ય બને કે જ્યારે દેવી-દેવતાઓની કૃપા હોય. દિવાળીના દિવસે લક્ષ્મીજી-ગણેશજીની પૂજા કરતી વખતે મને આ વિચાર આવ્યો. હું એમ નથી કહેતો કે તેનાથી અર્થવ્યવસ્થા સારી થશે, પરંતુ ભગવાનના આશીર્વાદ મળશે. અમે કોઈને હટાવવાની વાત નથી કરી રહ્યાં. જો ઇન્ડોનેશિયા કરી શકે તો આપણે કેમ નહીં? લક્ષ્મીજી ઐશ્વર્ય અને સમૃદ્ધિની દેવી છે.'