વાયુ પ્રદુષણ પર મળેલી ઈમરજન્સી બેઠક બાદ સીએમ અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં 1 અઠવાડિયું સ્કૂલ અને ઓફિસો બંધ રાખવાની જાહેરાત કરી દીધી છે.
વાયુ પ્રદુષણ ઈમરજન્સી બેઠક
દિલ્હીમાં 1 અઠવાડિયું સ્કૂલ-ઓફિસ બંધ
CM કેજરીવાલનું મોટું એલાન
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ આપ સરકારે લીધો નિર્ણય
સુપ્રીમની આકરી ફટકાર બાદ કેજરીવાલ સરકારે વાયુ પ્રદૂષણ પર ઈમરજન્સી બેઠક બોલાવી હતી જેમાં રાજ્યમાં એક અઠવાડીયું સ્કૂલો અને ઓફિસો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.
Govt offices to operate from home (WFH) at 100% capacity for a week. Private offices to be issued an advisory to go for WFH option as much as possible: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/6TiPb1B8GD
સુપ્રીમની ફટકાર બાદ દિલ્હી સરકારે બોલાવી ઇમરજન્સી બેઠક
દિલ્હી સરકારે વાયુ પ્રદૂષણના મુદ્દે બોલાવેલી ઈમરજન્સી બેઠકમાં ચાર મોટા પગલાની જાહેરાત કરી છે. બેઠક બાદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં સ્કૂલોમાં ઓફલાઈન ક્લાસ એક અઠવાડિયા બાદ બંધ રહેશે. સરકાર ઓફિસો એક અઠવાડિયા માટે બંધ રહેશે તે ઉપરાંત કર્મચારીઓ ઘેરથી કામ કરી શકશે. કેજરીવાલે કહ્યું કે લોકડાઉન અંગે પણ સુપ્રીમની દરખાસ્તની વિચારણા થઈ રહી છે અને તે મુદ્દે સરકાર કોર્ટમાં પોતાનો વિચાર રજૂ કરશે.
#WATCH | There was a suggestion in SC over complete lockdown in Delhi if (pollution) situation turns worse...We're drafting a proposal..which will be discussed with agencies, Centre...If it happens, construction, vehicular movement will have to be stopped:Delhi CM Arvind Kejriwal pic.twitter.com/TipgA0ySOq
ઈમરજન્સી બેઠક બાદ દિલ્હી સરકારે લીધા 4 મોટા પગલાં
(1) રાજ્યમાં 1 અઠવાડિયું સ્કૂલો બંધ
(2) ઓફિસો 1 અઠવાડિયું બંધ
(3) કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ કરી શકશે
(4) લોકડાઉનની દરખાસ્ત અંગેની પણ વિચારણા
For a week from Monday onwards, schools will be physically closed; to continue virtually so that children don't have to breathe polluted air: Delhi CM Arvind Kejriwal pic.twitter.com/JqdSMTQ8jk
સુપ્રીમ કોર્ટે શનિવારે આ જ મુદ્દે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને વહેલી તકે પગલાં લેવાન માટે જણાવ્યું હતું. ચીફ જસ્ટિસ એનવી રમન્નાએ કહ્યું કે આવી સ્થિતિમાં લાગે છે કે ઘરમાં પણ માસ્ક પહેરીને બેસવું પડશે. કોર્ટે કેન્દ્ર સરકારને વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટેનો રસ્તો શોધવા માટે પણ કહ્યું હતું.
કોર્ટમાં શું થયું?
જ્યારે સવારે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ થઈ ત્યારે CJI રમન્નાએ સરકારને સીધા સવાલો પૂછ્યા હતા. તમે જુઓ કે પરિસ્થિતિ કેટલી ખતરનાક છે. આપણે પણ માસ્ક પહેરીને ઘરે બેસવું પડશે. શું પગલાં લેવામાં આવી રહ્યાં છે? તેના પર કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે વાયુ પ્રદૂષણનું પહેલું કારણ સ્ટબલ સળગાવવાનું છે. એસજીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પરાળ બાળતા રોકવા માટે કેટલાક નિયમો હોવા જોઈએ, જેથી રાજ્ય સરકારો તેમની સામે પગલાં લઈ શકે.જો કે, એસજીની આ માંગ પર ચીફ જસ્ટિસે સવાલ ઉઠાવ્યો અને કહ્યું- તમે કહો છો કે તમામ પ્રદૂષણ માટે ખેડૂતો જવાબદાર છે. છેવટે, તેને રોકવાની સિસ્ટમ ક્યાં છે? તેમણે વધુમાં કહ્યું કે, "અમારે સરકાર સાથે કોઈ લેવાદેવા નથી. પ્રશ્ન એ છે કે આ સમસ્યાનો સામનો કેવી રીતે કરવો. કોઈપણ કટોકટીનું પગલું, કેટલીક ટૂંકા ગાળાની યોજનાઓ, તેને કેવી રીતે નિયંત્રિત કરવી?"