કોરોનાની મહામારીને પગલે અરવલ્લીના મોડાસામાં ઈટાડી ગામે સ્વંયભૂ લોકડાઉન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ગામના અંબાજી મંદિરના દ્વાર પણ બંધ કરવામાં આવ્યા છે.
અરવલ્લીના મોડાસાના ઇટાડી ગામમાં આજથી લોકડાઉન
ગ્રામ પંચાયત દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
7 ઓક્ટોમ્બર સુધી સ્વયંભૂ લોક ડાઉન રહેશે
અરવલ્લીના મોડાસાના ઇટાડી ગામે વધતા જતાં કોરોના કેસના કારણે ઇટાડી ગ્રામ પંચાયતે લોકડાઉન જાહેર કર્યું છે. મોડાસાના ઇટાડી ગામે 7 ઓક્ટોમ્બર સુધી સ્વયંભૂ લોક ડાઉન રહેશે.
પૂનમ હોવાથી ગામનું અંબાજી મંદિર પણ બંધ
આવતી કાલે પૂનમ હોવાથી અહીં અંબાજીના મંદિરમાં પણ લોકોનો ધસારો રહેવાની શક્યતાને જોતા મંદિર બંધ રાખવાનો કરાયો છે. મોડાસાના ઇટાડી ગામે દુકાનો સવારે 7 થી 11 સુધી ખુલ્લી રહેશે તેમજ તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે. લોકડાઉનના નિયમનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરાશે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62,338 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાંથી 1,381 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઇને કુલ આંકડો 1,36,004 પર પહોંચ્યો છે. મહત્વનું છે કે રાજ્યમાં રિકવરી રેટ 85.19 ટકા છે. આજે દર્દીઓ 1,383 સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,15,859 પર પહોંચ્યો છે. આજે 11 દર્દીઓના મોત થતા કુલ મૃત્યુઆંક 3,442 પર પહોંચ્યો છે. જ્યારે એક્ટિવ કેસ 16,703 છે.
આજે બનાસકાંઠામાં 63, કચ્છમાં 35, અમેરીલમાં 39, ભરૂચમાં 32, મહેસાણામાં 39 અને મોરબીમાં 30 દર્દીઓ સાજા થયા છે. જોકે મહાનગર સુરત કોર્પોરેશનમાં 163, અમદાવાદ કોર્પોરેશન 219, સુરત જિલ્લામાં 112, રાજકોટ કોર્પોરેશનમાં 223, વડોદરા કોર્પોરેશનમાં 86 અને જામગનર કોર્પોરેશનમાં 45 દર્દી સાજા થયા છે.
આજે 11 દર્દીઓના મોત થયા
આજે કોરોના વાયરસે 11 દર્દીઓનો ભોગ લીધો છે. જેમાં અમદાવાદમાં 3, સુરતમાં 4, રાજકોટમાં 1, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 2 દર્દીના મોત થયા છે.
આજે કોરોનાના 62,338ટેસ્ટ કરવામાં આવ્યા
રાજ્યમાં આજે કુલ 62,338 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 43,56,062 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યના વિવિધ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વિગત