એક અગત્યનો નિર્ણય લેતાં, આસામ સરકારે અરુંધતી યોજના હેઠળ દુલ્હનોને 1 તોલા સોનું મફત આપવાની જાહેરાત કરી છે. ગુવાહાટીમાં મંગળવારે સાંજે યોજાયેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કન્યાના માતા-પિતાને 1 તોલા સોનું (11.66 ગ્રામ) મફતમાં આપવાની જાહેરાત કરી છે, જો કે આ યોજનાઓ હેઠળ તેવા જ પરિવારો આવશે જે આર્થિક રીતે નબળા છે. તમને જણાવી દઇએ કે આ યોજના આ વર્ષના રાજ્ય બજેટમાં સૂચવવામાં આવી હતી.
આસામ સરકારનો મોટો નિર્ણય
શરુ કરી અરૂંધતિ યોજના
દુલ્હનોને અપાશે 1 તોલા સોનાની ભેટ
બાળ લગ્ન નિષેધ અધિનિયમ અંતર્ગત અરૂંધતિ યોજના(Arundhati Scheme) નો મુખ્ય ઉદ્દેશ રાજ્યમાં બાળ લગ્નોની સંખ્યામાં ઘટાડો કરવો છે. ચાઇલ્ડ મેરેજ પ્રોહિબિશન એક્ટ મુજબ, ભારતમાં, કોઈ પણ યુવતીના લગ્ન 18 વર્ષની ઉંમરે થઈ શકતા નથી અને 21 વર્ષની ઉંમર પહેલા છોકરા સાથે લગ્ન કરી શકાતા નથી.
વાર્ષિક આવક 5 લાખથી ઓછી હોવી જરૂરી છે
આને કારણે ઔપચારિક નોંધણી દ્વારા આસામના વિશેષ લગ્ન નિયમો 1954 અંતર્ગત અરૂંધતી યોજનાનો લાભ મેળવી શકાય છે.જો કે, આ યોજનાનો લાભ, કોઈપણ જાતિ, જાતિ, ધર્મ વગેરેને ધ્યાનમાં લીધા વિના, તે જ કુટુંબ લઈ શકે છે, જેની વાર્ષિક આવક 5 લાખથી ઓછી છે.
તમામ ઓફિસો અને ઉદ્યોગોમાં સેનિટરી નેપકિન્સ ફરજિયાત
કેબિનેટની આ બેઠકમાં સરકારે તમામ ઓફિસો અને ઉદ્યોગોમાં સેનિટરી નેપકિન્સ ફરજિયાત રાખવાનો પણ નિર્ણય લીધો છે. કાર્યસ્થળ પર મહિલાઓમાં વ્યક્તિગત સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.