નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને એનઆરસીની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરતા લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતિ રૉયે એક વિવાદિત નિવેદન આપ્યું છે. દિલ્હી યૂનિવર્સિટીમાં પ્રદર્શન દરમિયાન તેઓએ એનપીઆરને એનઆરસીનો ભાગ બતાવતા કહ્યું કે, જ્યારે સરકારી કર્મચારી જાણકારી માંગવા આપના ઘરે આવે તો તેઓને ખોટી જાણકારી આપવી.
લેખિકા અને સામાજિક કાર્યકર્તા અરુંધતિ રૉયે એક વિવાદિત નિવેદન આપ્યું
જ્યારે સરકારી કર્મચારી જાણકારી માંગવા આપના ઘરે આવે તો ખોટી જાણકારી આપવી
અરુંધતિ રૉયે કહ્યું કે, એનપીઆર પણ એનઆરસીનો ભાગ છે
તેઓએ કહ્યું કે, તમારુ નામ રંગા બિલ્લા બતાવો અને સરનામુ 7 રેસ કોર્સ રોડ બતાવવું. ત્યારે બીજેપીએ આ મુદ્દે અરુંધતિ રૉયને ઘેરી છે. મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે બુદ્ધિજીવીઓનું એક રજિસ્ટર તૈયાર કરવામાં આવે.
અરુંધતિ રૉયે બુધવારે કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, એનપીઆર પણ એનઆરસીનો ભાગ છે. એનપીઆર માટે જ્યારે સરકારી કર્મચારી જાણકારી માંગવા આપના ઘરે આવે તો તેઓને પોતાનું નામ રંગા-બિલ્લા બતાવવું અને પીએમના ઘરનું સરનામું લખાવવું. જોકે, હાલ તેમના નિવેદનની બીજેપીએ નિંદા કરી છે.
અરુંધતિ રૉયે કહ્યું કે દેશમાં ડિટેન્શન સેન્ટરના મુદ્દા પર કેન્દ્ર સરકાર ખોટુ બોલી રહી છે. પીએમ નરેન્દ્ર મોદી આ મુદ્દા પર દેશની સામે ખોટા તથ્યો રજૂ કર્યા. તેઓએ કહ્યું કે, કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ્યારે સરકારની વિરુદ્ધ અવાજ ઉઠાવે છે તો આ વિદ્યાર્થીઓને અર્બન નક્સલ કહેવામાં આવે છે.