અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ભારે જાન માલનું નુકસાન થયું છે. છેલ્લા 5 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે અનેક લોકોના જીવ ગયા છે. આ સ્થિતિ પર નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં 7 લોકોના મોતના સમાચાર મળ્યા છે.
ભારે વરસાદને કારણે નદીમાં આવ્યું પૂર
સિઆંગ જિલ્લામાં નદીઓ બે કાંઠે
ભારે વરસાદના પૂરમાં પરિવાર ફસાયો
એક બાળકીનું કરાયું રેસ્ક્યૂ
અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. છેલ્લા 5 દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે અનેક પરિવાર નિરાધાર બન્યા છે. અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલન થયું છે.
भारी बारिश के साथ-साथ अरुणाचल प्रदेश में भूस्खलन के कारण लोगों की जान जान चली गई। मेरे विचार शोक संतप्त परिवारों के साथ हैं। घायल लोग जल्दी ठीक हों। प्रभावित लोगों को हर संभव सहायता प्रदान की जा रही है: प्रधानमंत्री नरेंद्र मोदी (फाइल फोटो) pic.twitter.com/A6V9S7zwyA
ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું છે. સિઆંગ જિલ્લામાં નદીઓ બે કાંઠે વહી રહી છે. ભારે વરસાદના પૂરમાં પરિવાર ફસાયો છે. જ્યારે એક બાળકી સહીત 8 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
ગુરુવારે મોડી રાતે થયેલા ભૂસ્ખલનની ઘટનામાં પાપુમ પારે જિલ્લામાં એક મકાન ધરાસાયી થતા મકાન ધરાસાયી થયુ હતું જેમાં આખો પરિવાર તેમાં દટાઈ ગયો હતો.
પીએમ મોદીએ આ ઘટનાને પગલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યુ હતુ કે ભારે વરસાદને કારણે અરુણાચલ પ્રદેશમાં ભૂસ્ખલને કારણે અનેક લોકોના જીવ ગયા છે. મારી સહાનુભૂતિ પીડિત પરિવારો સાથે છે. ઘાયલ જલ્દી જ સાજા થઈ જાય એવી કામના છે. અસરગ્રસ્ત લોકોને તમામ શક્ય મદદ આપવામાં આવી રહી છે.