ભારત અને ચીનની સેનાની વચ્ચે તણાવ બનેલો છે. આ દરમિયાન અરુણાચલ પ્રદેશના 5 લોકોને ચીનની સેનાના માધ્યમથી અપહરણ કરાયા હોવાનો મામલો સામે આવ્યો છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્ય નિનોન્ગ એરિંગે આ દાવો કરતા કહ્યું તે ચીનની સેનાએ બોર્ડર પરથી 5 ભારતીયોનું અપહરણ કર્યુ છે.
ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોનો દાવો
''અરુણાચલમાં 5 ભારતીયોનું ચીની સેનાએ અપહરણ કર્યું ''
SHOCKING NEWS: Five people from Upper Subansiri district of our state Arunachal Pradesh have reportedly been ‘abducted’ by China’s People’s Liberation Army (PLA).
અરુણાચલ પ્રદેશના કોંગ્રેસના ધારાસભ્યા નિનોંન્ગ એરિંગે દાવો કર્યો છે કે અરુણાચલ પ્રદેશના ઉપરના સુબનસિરી જિલ્લાના 5 લોકોને કથિત રીતે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના માધ્યમથી અપહરણ કરવામાં આવ્યું છે. થોડાક મહિના પહેલા આ પ્રકારની ઘટના થઈ હતી. ચીનની સેનાએ જવાબ આપવો પડશે.
કોંગ્રેસના ધારાસભ્ય નનોન્ગ એરિંગે PMOને ટ્વીટ કર્યું છે અને આ સમગ્ર ઘટના અંગે જણાવ્યું છે. એક તરફ ચીન વાતચીત કરી સમસ્યાને ઉકેલવાનો ડોળ કરે છે . બીજી તરફ કાલા ટોપ હિલ પર ઘૂસણખોરીમાં નિષ્ફળ જતા ફાયરિંગ રેન્જમાં આવી ગયું છે. જ્યાં એક તરફ મોસ્કોમાં ચીનના રક્ષા મંત્રી રાજનાથ સાથે બેઠક કરે છે. અને અરુણાચલમાં આ પ્રકારનું કૃત્ય પણ કરી રહ્યું છે.
જે ગ્રામજનોનું અપહરણ થયું છે તેમાં ટોચ સિંગકમ, પ્રસાદ રિંગલિંગ, ડોંગટૂ ઈબિયા, તનુ બેકર અને નાર્ગુ ડિરી છે. બે અન્ય ગ્રામીણ હતા જે અપહરણ થયેલા લોકોની સાથે હતા. જો કે તેઓ ભાગવામાં સફળ રહ્યા હતા. એ બાદ આ બન્ને લોકોએ આ 5 લોકોના અપહરણના સમાચાર આપ્યા હતા.