અરુણાચલ પ્રદેશના એક યુવકના ગુમ થયા બાદ નરેન્દ્ર મોદી સરકાર હરકતમાં આવી છે.
ઈન્ડિયન આર્મીના સ્થાનીય કમાન્ડરે હોટલાઈન પર ચીની સેનાના સંપર્ક કર્યો
ભાજપના સાંસદનો આરોપ- ચીને કર્યુ અપહરણ
આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિક સૂચિત કર્યા
ઈન્ડિયન આર્મીના સ્થાનીય કમાન્ડરે હોટલાઈન પર ચીની સેનાના સંપર્ક કર્યો
ભારતીય સેનાના સ્થાનીય કમાન્ડરે હોટલાઈન પર ચીની સેનાના સંપર્ક કર્યો છે. જેથી યુવકની સુરક્ષિત વાપસી થઈ શકે. યુવકનું નામ મિરામ તારોન જણાવાઈ રહ્યું છે અને તે અરુણાચલ પ્રદેશથી છે. રક્ષા સૂત્રોના જણાવ્યાનુંસાર જાણકારીના આધારે પર ભારતીય સેનાએ પીએલએ સાથે સંપર્ક કર્યો અને નક્કી પ્રોટોકોલ હેઠળ તેમના યુવકોને પાછો મોકલવા માટે મદદ માંગવામાં આવી છે. હાલમાં ચીન તરફથી જવાબની રાહ જોવામાં આવી રહી છે.
ભાજપના સાંસદનો આરોપ- ચીને કર્યુ અપહરણ
બીજી તરફ અરુણાચલ પ્રદેશના લોકસભા સાંસદ તાપિર ગાઓએ દાવો કર્યો છે કે 17 વર્ષીય મિરામ તારન મંગળવારે ભારતીય ક્ષેત્રમાંથી પીએલએ( ચીનનું સૈન્ય) બંદી બનાવી લીધો છે. ગાઓએ જણાવ્યું કે, ઝિડો ગામમાં રહેવા વાળો 17 વર્ષીય મિરામ ટૈરોનનું અપહરણ કરી ચીનના સૈનિકોએ બંદી બનાવી લીધો છે. આ ઘટના 18 જાન્યુઆરી 2022ની જણાવાઈ રહી છે. હવે આ મામલે સાંસદે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી છે . સાંસદ ગાઓએ આ અંગેની જાણકારી આપતાં જણાવ્યું કે, 18મી જાન્યુઆરીએ અરૂણાચલ પ્રદેશના ઉપલા સિયાંગ જિલ્લાના સિયુંગલા વિસ્તારમાં ભારતીય સરહદની અંદરથી યુવાનોને ઝડપી લીધા હતાં. સાંસદે ટ્વિટ કર્યું, 'મીરામના મિત્ર જોની યઈયિંગનું પણ પીએલએ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પરંતુ તે ભાગી ગયો હતો અને તેણે ભારતીય સેનાને જાણ કરી છે. હું ભારતીય સંરક્ષણ એજન્સીઓને આ મામલામાં વહેલી તકે હસ્તક્ષેપ કરવા અપીલ કરું છું જેથી તેની વહેલી મુક્તિ સુનિશ્ચિત કરી શકાય.
1/2
Chinese #PLA has abducted Sh Miram Taron, 17 years of Zido vill. yesterday 18th Jan 2022 from inside Indian territory, Lungta Jor area (China built 3-4 kms road inside India in 2018) under Siyungla area (Bishing village) of Upper Siang dist, Arunachal Pradesh. pic.twitter.com/ecKzGfgjB7
આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિક સૂચિત કર્યા
તેમણે કહ્યું કે આ ઘટના તે સ્થાને થઈ જ્યાં શિયાંગ નદી અરુણાચલ પ્રદેશમાં ભારતમાં પ્રવેશ કરે છે. આની પહેલા ગાઓએ ટ્વીટ કરી મંગળવારે કિશોરોનાં અપહરણ અંગે જાણકારી શેર કરી હતી. તેમણે ટ્વીટની સાથે અપહરણ કિશોરની તસ્વીર શેર કરી કહ્યું, ભારત સરકાર પણ તમામ એજન્સીઓના કિશોરોને જલ્દી મુક્તિ માટે અનુરોધ છે. ગાઓએ એમ પણ કહ્યું કે આ ઘટના અંગે કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિશીથ પ્રમાણિક સૂચિત કર્યા છે.
माननीय मोदी जी,
• चीनी सेना का ये दुस्साहस कैसे कि हमारी सरज़मीं पर फिर घुसपैठ की?
• चीन की ये हिम्मत कैसे कि वो भारतीय नागरिक को अगवा कर ले गए?
• हमारी सरकार चुप्पी क्यों साधे है?
• आप अपने MP की अपील क्यों नहीं सुन रहे?
કોંગ્રેસે આ મુદ્દાને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે ચીને આ હિમ્મત કેવી રીતે કરી કે તે ભારતીય નાગરિકનું અપહરણ કરી લઈ ગયા. સુરજેવાલાએ ટ્વીટમાં કહ્યું કે માનનીય મોદી જી ચીની સેનાએ આ દુસ્સાહસ કેવી રીતે કર્યુ, આપણી જમીન પર ઘૂસણખોરી કરી? ચીનની આ હિમ્મત કેવી રીતે કરી કે તે ભારતીય નાગરિકોનું અપહરણ કરી લઈ ગયા? અમારી સરકાર ચુપ્પ કેમ છે? તમે તમારા એમપીની અપીલ કેમ નથી સાંભળી રહ્યા? હવે તમે એમ ન કહેતા કે ન તો કોઈ આવ્યું ન કોઈનું અપહરણ થયું.