ડભોઇના ચાંદોદ ખાતે કેન્દ્રના પૂર્વ નાણાંમંત્રી સ્વર્ગસ્થ અરુણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જેને લઇને તેમનો પરિવાર આજરોજ ચાંદોદ ખાતે પહોંચ્યો હતો. જ્યાં તેમના અસ્થિનું વૈદિક મંત્રોચ્ચાર દ્વારા અસ્થિ વિસર્જન કરવામાં આવેલ. નોંધનીય છે કે, અરુણ જેટલીના આદર્શ ગામ હેઠળ કરનાલી ગામને દત્તક લીધું હતું. જો કે, હવે અરુણ જેટલીના અવસાન બાદ તેમના અસ્થિને કરનાલી ખાતે વિધી વિધાન સાથે વિસર્જન કરવામાં આવ્યા હતા.
કેન્દ્રના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા સ્વર્ગસ્થ અરૂણ જેટલીનો પરિવાર ડભોઇના ચાંદોદ પહોંચ્યો હતો. ચાંદોદ ખાતે સ્વર્ગસ્થ અરૂણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવ્યા હતા.
જ્યાં સંસ્કૃત જાંબુ પાઠશાળાના વિદ્યાર્થીઓ દ્વારા વૈદિક મંત્રોચ્ચારથી કરવામાં આવેલ. જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા-અર્ચના કરવામાં આવ્યું હતું. આમ પૂજા બાદ કરનાળીના સોમનાથ ઘાટ ખાતે સ્વર્ગસ્થ અરૂણ જેટલીના અસ્થિનું વિસર્જન કરવામાં આવેલ.
ઉલ્લેખનીય છે કે સાંસદ રહેતા અરૂણ જેટલીએ કરનાળી ગામને આદર્શ ગામ હેઠળ દત્તક લીધુ હતું. જો કે આ પૂજાવિધીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
ગઇકાલે અમદાવાદ ખાતે પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીના સ્વજન દ્વારા શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત ભાજપના નેતાઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.