ભારતના પૂર્વ નાણાંમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીનું 66 વર્ષની ઉંમરે અવસાન થયું છે. દિલ્હીની AIIMS ખાતે આજે બપોરે 12.07 વાગ્યે અંતિમ શ્વાસ લીધાં હતા. ઉલ્લેખનીય છે કે છેલ્લાં ઘણાં દિવસથી તબિયત લથડતાં AIIMS હોસ્પિટલ દાખલ કરાયાં હતા. તેઓને સોફ્ટ ટિશ્યૂ કેન્સર હતું. જાણો આ કેન્સરમાં શું થાય છે?
શ્વાસ લેવામાં તકલીફ અને બેચેનીની ફરિયાદ પછી જેટલીને 9 ઓગસ્ટથી એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અરુણ જેટલીને વિશ્વનું રેર કેન્સર હતું. આ કેન્સરને સોફ્ટ ટિશ્યૂ કેન્સર કહે છે. તેમને જાંઘમાં સોફ્ટ ટિશ્યૂ કેન્સર થયું હોવાનું માનવામાં આવે છે. આ એક ટયૂમર છે, જે શરીરના બીજા ભાગોમાં ખૂબ જ ઝડપથી ફેલાય છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે બોન મેરોના કોષો બનવાનું બંધ થાય છે ત્યારે આ કેન્સર થાય છે. દોઢ વર્ષ પહેલાં પણ અરુણ જેટલીએ બજેટ રજૂ કર્યું ન હતું. બજેટ રજૂ થાય એ પહેલાં જ મોદી સરકારનાં નાણામંત્રી અરુણ જેટલી સ્વાસ્થ્યના કારણોથી અમેરિકા ગયા હતા. આ સમયે તેમની બંને કિડની ફેલ હતી. તેઓ ડાયાલિસીસ પર જીવતા હતા. તેમની શારીરિક સ્થિતિ નબળી પડી ગઈ હતી. ડાયાબિટીસથી પીડિત જેટલી અનેક વર્ષ પહેલાં હાર્ટ સર્જરી અને સ્થૂળતાથી છૂટકારો મેળવવા માટે બૈરિએટ્રિક સર્જરી કરાવી ચૂક્યા હતા. અરુણ જેટલી એક સમયે સ્થૂળતાથી છૂટકારો મેળવવા માટે બેરિયાટ્રિક સર્જરી કરાવવા માટે પણ ચર્ચામાં રહ્યા હતા.
જાણો બેરિયાટ્રિક સર્જરી કરાવ્યા બાદ આવતા ફેરફારો
બૈરિયાટ્રિક સર્જરી ઝડપથી વજન ઘટાડે છે. જે 3 પ્રકારની હોય છે. લેપ બૈંડ, સ્લીવ ગેસ્ટ્રીકટોમી અને ગેસ્ટ્રિક બાયપાસ સર્જરી, આ સર્જરી લેપ્રોસ્કોપિક રીતે કરવામાં આવે છે. લેપ બૈંડ સર્જરી બાદ વ્યક્તિની ખાવાની ક્ષમતા ઘટી જાય છે. સ્લીવ ગૈસ્ટ્રિક્ટોમી પછી દોઢથી બે કિલો વજન ઘટવાનું શરૂ થાય છે. 12-18 મહિનામાં 80-85 કિલો વજન ઘટે છે. ગેસ્ટ્રિક બાયપાસમાં અમાશયને વહેંચીને એક શેલ્ફ બોલ આકારનો બનાવીને છોડી દેવામાં આવે છે. સર્જરી બાદ ખાવાનું પણ ઘણા સમય પછી પચે છે. ભૂખ વધારનારું ગ્રેહલીન હોર્મોન પણ બનવાનું બંધ થઈ જાય છે. શરીરમાં જમા ફેટ એનર્જીના રૂપમાં ખર્ચ થઈ જાય છે અને વજન ઝડપથી ઘટે છે.