પૂર્વ નાણાં પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા અરૂણ જેટલીની તબિયતમાં કોઇ સુધારો જોવા મળી રહ્યો નથી. અરૂણ જેટલીની દિલ્હીના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS)માં સારવાર ચાલી રહી છે. દિલ્લીના AIIMS હોસ્પિટલમાં અરૂણ જેટલી 10 દિવસથી સારવાર લઈ રહ્યા છે.
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત, કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી સહિત કેટલાક અન્ય નેતા પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી સહિતના કેટલાક અન્ય નેતા પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીના સ્વાસ્થ્યની જાણકારી આપવા માટે સોમવારે એઈમ્સ પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહે પણ એઈમ્સ પહોંચીને જેટલીના સ્વાસ્થ્યની જાણકારી મેળવી હતી.
અરુણ જેટલીને ECMO અને IABP સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા છે. આ સિસ્ટમ પર એવા જ દર્દીઓને રાખવામાં આવે છે જેમના ફેંફસા અને હૃદય કામ કરવાની સ્થિતિમાં ન હોય. 66 વર્ષીય અરુણ જેટલી 9 ઓગસ્ટથી એઈમ્સમાં દાખલ છે. અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી છે. ડોક્ટરની એક ટીમ જેટલીની સ્થિતિ પર નજર રાખી રહી છે.
જો કે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની હાલત ગઇકાલથી વધુ નાજુક બની ગઇ છે. એમ્સ ડૉક્ટરોએ તેમને વેન્ટિલેટરથી હટાવી ઇસીએમઓ (Extracorporeal membrane Oxygenation) પર શિફ્ટ કર્યા હતા. ઇસીએમઓનો પ્રયોગ ફેફસાના કામ ન કરવાની સ્થિતિમાં બ્લડ સર્કુલેશનને પંપ કરવા માટે કરવામાં આવે છે.
આમ તેની મદદથી શરીરમાં ઓક્સિજન પહોંચાડવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રવિવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને RSS પ્રમુખ મોહન ભાગવત જેટલીના ખબર અંતર જાણવા પહોંચ્યા હતા. શ્વાસ લેવાની તકલીફના કારણે ભારતના પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલી 9 ઓગસ્ટથી એમ્સમાં દાખલ કરાયાં છે. જો કે 10 ઓગસ્ટ બાદ એમ્સ દ્વારા અરૂણ જેટલીને લઇને મેડિકલ બુલેટિન જારી કરવામાં આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારના રોજ અરૂણ જેટલીના ખબર અંતર પૂછવા એમ્સ પહોંચ્યા હતા. જયારે શનિવારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ સીધા એરપોર્ટથી એમ્સ પહોંચ્યા હતા.
જ્યારે અન્ય નેતાઓમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક, કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી અને જ્યોતિરાદિત્ય સિંઘિયા એમ્સ પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિડલા પણ અરુણ જેટલીના ખબર અંતર પૂછવા એમ્સ જઇ આવ્યા હતા.