ન્યૂયોર્કઃ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ રવિવારનાં આજનાં રોજ એવાં સંકેત આપ્યાં કે ખેડૂતોને વાર્ષિક 6 000 રૂપિયાની ઓછામાં ઓછી રકમને વધારી શકાશે. નાણામંત્રી પિયૂષ ગોયલે 2019-20નાં બજેટમાં ખેડૂતોને વાર્ષિક 6 000 રૂપિયાની ઓછામાં ઓછી સહાયતા કરવાની જાણ કરી છે. ખેડૂતોને આ રકમ ત્રણ ભાગોમાં આપવામાં આવશે. આ ઉદ્દેશ્યથી આ મહીને 500 રૂપિયા થાય છે.
જેટલીએ જણાવ્યું કે સરકાકનાં સંસાધન વધશે કે જેમાં ભવિષ્યમાં ખેડૂતોને આપવામાં આવતી વાર્ષિક રકમને વધારી શકાશે. તેઓએ જણાવ્યું કે રાજ્ય આ રકમ ઉપર પોતાની તરફથી આવક આવક સહાય યોજનાઓની જાહેરાત કરી શકે છે. તેઓએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા આ યોજનાની આલોચના માટે તેઓનાં પર આકરા પ્રહાર કર્યાં.
શું કહ્યું હતું રાહુલ ગાંધીએ?
ગાંધીએ કહ્યું કે સરકાર ખેડૂતોને પ્રતિદિન 17 રૂપિયા આપીને તેઓનું અપમાન કરી રહેલ છે. જેટલીએ કહ્યું કે વિપક્ષનાં નેતાએ 'પરિપક્વ હોવું જોઇએ' અને તેઓએ એ સમજવું જોઇએ કે તેઓ કોઇ કોલેજ યૂનિયનની ચૂંટણી નહીં પરંતુ રાષ્ટ્રીય ચૂંટણી લડવા જઇ રહ્યાં છે.
'ભવિષ્યમાં રકમમાં કરીશું વધારો':
જેટલીએ કહ્યું કે '12 કરોડ નાના અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6 000 રૂપિયા આપવામાં આવશે. આ સિવાય સરકારની યોજના તેઓને ઘર આપવા સબ્સિડી પર અનાજ આપવા મફત ચિકિત્સા સુવિધા આપવા મફત સાફ-સફાઇની સુવિધા આપવી વિજળી માર્ગ ગેસ કનેક્શન આપવાની યોજનાઓ ખેડૂતોની મુશ્કેલીઓને દૂર કરવા સાથે જોડાયેલ છે.'
તેઓએ કહ્યું કે ખેડૂતોને ઓછામાં ઓછી સહાયને સમર્થન આપવાનું આ પ્રથમ વર્ષ છે. 'મને ભરોસો છે કે સરકારનાં સંસાધન વધવાની સાથે આ રકમને પણ વધારી શકાય છે. જેટલીએ કહ્યું કે વર્તમાન સરકારે ગ્રામીણ વિસ્તારોમાં જે લાખો કરોડો રૂપિયા લગાવ્યાં છે તે રકમ તેનાથી વધારે છે.' અમે 75 000 કરોડ રૂપિયા વાર્ષિકથી શરૂઆત કરી છે. મને લાગે છે કે આગામી વર્ષોમાં આમાં નફો થશે.'