ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરુણ જેટલી (Arun Jaitley) નું શનિવારે દિલ્હી એમ્સમાં નિધન થયું હતું. NDA સરકારમાં મોદી પછી નંબર ટુ મંત્રી તરીકે સેવા આપી ચૂકેલા અરુણ જેટલી મોદી અને શાહના સંકટમોચક હતાં. જ્યારે ગુજરાતના 2002ના રમખાણોનાં કેસમાં મોદી અને શાહનું નામ ખુલ્યું ત્યારે જેટલીજીએ જ કેસ લડી તેમને ઉગાર્યા હતા.
સર્વસંમતિ બનાવવામાં મહારથ ધરાવતાં અરુણ જેટલીને કેટલાક લોકો મોદીના ઓરિજનલ 'ચાણક્ય' પણ માનતા હતા. જ્યારે જ્યારે મોદી અસમંજમાં પડે એટલે જેટલીજી હાજર જ હોય. આ ઉપરાંત ભાજપના તમામ કાયદાકીય નિર્ણયોમાં આખરી નિર્ણય જેટલીજીનો જ હોય.
2002માં મોદીના મુખ્ય તારણહાર સાબિત થયા હતા. મોદી ત્યારે મુખ્યમંત્રી હતા અને તેમના પર ગુજરાત રમખાણોના કાળા વાદળા ઘેરાયા હતા. જેટલી ન માત્ર મોદી, પરંતુ અમિત શાહ માટે પણ એ સમયે મદદગાર સાબિત થયા હતા જ્યારે એમને ગુજરાતથી બહાર કરવામાં આવ્યા હતા. શાહને ત્યારે ઘણીવાર જેટલીના કૈલાશ કોલોની ઓફિસે જોવામાં આવતા હતા. અને બંને સપ્તાહમાં ઘણી વાર સાથે ભોજન કરતાં જોવા મળ્યા હતા.
મોદીને 2014માં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની ઔપચારિક જાહેરાતની પહેલાં કેટલાક મહિનામાં જેટલીજીએ રાજનાથ સિંહ, શિવરાજ સિંહ ચૌહાણ અને નીતિન ગડકરીને સાથે લાવવાં માટે એમણે પડદા પાછળ ખુબ જ બારીકાઇથી કામ કર્યું હતું. પ્રશિક્ષણથી વકીલ રહેલાં અરુણ જેટલી અટલ બિહારી વાજપેયી સરકારમાં મંત્રી હતા અને જ્યારે મોદી વડાપ્રધાન બન્યા તો એમણે અરુણ શૌરી અને સુબ્રમણ્યમ સ્વામીની સંભાવનાઓ પર વિરામ મુકતા અરુણ જેટલીને નાણામંત્રીના તમામ મહત્વપૂર્ણ કાર્ય સોંપવામાં આવ્યા.
વડાપ્રધાન મોદીએ એકવાર અરુણ જેટલીને 'અનમોલ હીરો' બતાવ્યા હતા. આ સિવાય જેટલીને રક્ષા મંત્રાલયનો વધારાનો પ્રભાર પણ સોંપવામાં આવ્યો હતો. જ્યારે મનોહર પર્રિકરનું સ્વાસ્થ્ય બગડ્યું હતું. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રહેલા અરુણ જેટલીને રાજનીતિમાં 'ભણેલા ગણેલા વિદ્વાન મંત્રી' માનવામાં આવે છે.
અતિ શિષ્ટ, વિનમ્ર અને રાજનૈતિક રીતે શ્રેષ્ઠ રણનીતિકાર રહેલા જેટલી ભાજપા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે મુખ્ય સંકટમોચક હતા. જેમની ચાર દાયકાની શાનદાર રાજનૈતિક ઇનિંગ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને પગલે સમય પહેલા જ સમાપ્ત થઇ ગઇ.