ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીની આજે પહેલી પૂણ્યતિથિ છે. આજથી એક વર્ષ પહેલા આજના જ દિવસે દુનિયાને અલવિદા કહ્યું હતુ. જેટલીની પહેલી પુણ્યતિથિ પર ભાજપના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અનેક નેતાઓએ તેમને ટ્વીટ કરી યાદ કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે મને મારા મિત્રને બહું યાદ આવે છે.
આ દિવસે ગત વર્ષ આપણે અરુણ જેટલીને ગુમાવ્યા હતા
મને મારા મિત્રની બહું યાદ આવે છે
મની બુદ્ધિ કાયદાનુ કૌશલ્ય અને વ્યક્તિત્વ મહાન હતુ.
પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે, આ દિવસે ગત વર્ષ આપણે અરુણ જેટલીને ગુમાવ્યા હતા. મને મારા મિત્રની બહું યાદ આવે છે. અરુણે લગનથી દેશની સેવા કરી હતી. તેમની બુદ્ધિ કાયદાનુ કૌશલ્ય અને વ્યક્તિત્વ મહાન હતુ.
On this day, last year, we lost Shri Arun Jaitley Ji. I miss my friend a lot.
Arun Ji diligently served India. His wit, intellect, legal acumen and warm personality were legendary.
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી રહ્યું કે અરુણ જેટલીજી એક ઉત્કષ્ટ રાજનીતિજ્ઞ, વિપુલ વક્તા અને મહાન માણસ હતા. જેમની ભારતીય રાજનીતિમાં કોઈ સમાનતા નહોતી. તે બહુઆયામી અને મિત્રોના મિત્ર હતા. જે હંમેશા પોતાના વિશાળ વિરાસત, પરિવર્તનકારી દ્રષ્ટિ અને દેશભક્તિ માટે યાદ કરવામાં આવશે.
Remembering Arun Jaitley ji, an outstanding politician, prolific orator and a great human being who had no parallels in Indian polity. He was multifaceted and a friend of friends, who will always be remembered for his towering legacy, transformative vision and devotion to nation.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરી જેટલીને શ્રદ્ધાંજલી અર્પિત કરી. તેમણે કહ્યું કે પ્રખર નેતા, વિચારક, પદ્મભૂષણથી સન્માનિત પૂર્વ નાણામંત્રી સ્વ. અરુણ જેટલીની પ્રથમ પુણ્યતિથિ પર તેમને શત્ શત્ નમન. રાષ્ટ્ર નિર્માણમાં તેમની જનકલ્યાણકારી નીતિઓ તથા યોજનાઓનું અપ્રતિમ યોગદાન હંમેશા યાદ કરવામાં આવશે.
प्रखर नेता, विचारक, पद्म भूषण से सम्मानित पूर्व वित्त मंत्री स्व. श्री अरुण जेटली जी की प्रथम पुण्यतिथि पर उन्हें शत् शत् नमन। राष्ट्र निर्माण में उनकी जनकल्याणकारी नीतियों एवं योजनाओं का अप्रतिम योगदान सदैव याद किया जाएगा। pic.twitter.com/mYkrxfJVA5
ભાજપે પોતાના સત્તાવાર ટ્વીટર હેંડલથી ટ્વીટ કરી પૂર્વ કેન્દ્રીય મંત્રીને યાદ કર્યા છે. ભાજપે ટ્વીટ કર્યું કે પ્રતિષ્ઠિત વિદ્વાન, સંચાલક, વકીલ, પ્રશાસક અને પૂર્વ કેન્દ્રીય મંત્રી, પદ્મ વિભૂષણ અરુણ જેટલીને તેમની પહેલી પૂણ્યતિથિ પર હાર્દિક શ્રદ્ધાંજલિ. વિવિધ ક્ષેત્રોમાં શાનદાર જ્ઞાન અને અનુકરણીય યોગદાનની તેમની વિરાસત ભવિષ્યની પેઢિઓને પ્રોત્સાહિત કરશે.
Heartfelt tributes to the distinguished scholar, orator, lawyer, administrator and former Union Minister, Padma Vibhushan Shri Arun Jaitley on his first Punyatithi.
His legacy of brilliant knowledge and exemplary contributions in diverse fields will inspire future generations. pic.twitter.com/UJrga9BEZa
જેટલીનું નિધન રાજનીતિક જગત સહિત દેશ માટે એક ઝટકા જેવું હતુ. કેમ કે નિધનથી કેટલાક મહિના પહેલા સુધી તે રાજનીતિમાં ખાસા સક્રિય હતા. તેઓ નાણામંત્રી હતા ત્યારે જ દેશમાં જીએસટી લાગુ પડ્યુ હતુ.