ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણાંમંત્રી અરૂણ જેટલીનું લાંબી બિમારી બાદ 66 વર્ષની વયે નિધન થયું છે. જેટલી છેલ્લા ઘણા સમયથી બિમાર હતાં અને દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમણે આજે અંતિમ શ્વાસ લીધા હતાં.
અરૂણ જેટલીના નિધન પર CM રૂપાણી સહિત રાજ્યના દિગ્ગજ નેતાઓએ દુ:ખ વ્યક્ત કર્યું છે. CM રૂપાણીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે "જ્ઞાનના ભંડાર એવા વ્યક્તિત્વ ધરાવતા અરૂણ જેટલી વિદાયથી દુઃખી છું. ભગવાન તેમની આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને મારી સાંત્વના. ઓમ શાંતિ"
Saddened by the demise of Shri Arun Jaitley Ji - a unique combination of meticulous articulation embedded with proud depth of knowledge. I pray for the departed soul. My condolences to family members. Om Shanti...
જ્યારે નીતિન પટેલે ટ્વિટ કરીને જણાવ્યું કે, "શ્રી અરૂણ જેટલીજીનું રાષ્ટ્રમાં નોંધપાત્ર યોગદાન છે. તેમના વિચારો હમેંશા અમારી સાથે રહેશે. ભગવાન તેમના પવિત્ર આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને દુ:ખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ"
Deeply saddened by untimely demise of Shri Arun Jatley ji. His contribution to the nation is remarkable. May his soul get eternal peace. My thoughts are with his family. #ArunJatley
તો અરૂણ જેટલીના નિધન પર જીતુ વાઘાણીએ દુ:ખ વ્યક્ત કરતાં જણાવ્યું કે, "ભગવાન એમના આત્માને શાંતિ આપે. તેમની કમી માત્ર ભાજપને જ નહીં, પરંતુ સમગ્ર ભારતીય રાજકારણને પડશે. હું ભગવાનને પ્રાથના કરૂ છું કે તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને આ દુ:ખની ઘડીમાં શક્તિ આપે. ઓમ શાંતિ"
पूर्व वित्त मंत्री और पार्टी के वरिष्ठ नेता श्री अरुण जेटली जी के निधन से मन अत्यंत दुखी है। उनका निधन केवल भाजपा ही नहीं, बल्कि सम्पूर्ण भारतीय राजनीति के लिए अपूरणीय क्षति है।
જ્યારે અમદાવાદના સાંસદ કિરીટ સોલંકીએ તેમને શ્રદ્ધાંજલી પાઠવી છે. તેમણે જણાવ્યુ કે, ભાજપે એક દિગ્ગજ નેતાને ગુમાવ્યા છે. ભાજપ માટે ન પુરી શકાય તેવી ખોટ છે. તો વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યુ કે, ભાજપે એક દિગ્ગજ અને આગેવાન નેતા ગુમાવ્યા છે. પાર્ટીને મોટી ખોટ પડી છે.
અરૂણ જેટલીએ બે દાયકા સુધી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું
અરૂણ જેટલી મોદી સરકારની પહેલી ટર્મમાં સૌથી પાવરફુલ નેતાઓમાંના એક હતા. તેઓ કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીના ટ્રબલ શૂટર બનતા હતા. અરૂણ જેટલીનો ગુજરાત અને મોદી સાથે લગભગ બે દાયકાથી ગાઢ સંબંધ રહ્યો છે. અરૂણ જેટલી પહેલી રાજ્યસભાની ચૂંટણી પણ ગુજરાતમાંથી લડ્યા હતા અને રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ત્યાર બાદ તેઓએ 2006થી 2012 અને 2012થી 2018 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.