પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી સીસીએસની બેઠક બાદ નાણા પ્રધાન અરૂણ જેટલીએ જણાવ્યું છે કે આતંકી હુમલાના ગુનેગારોને છોડવામાં આવશે નહીં. જેટલીએ કહ્યું કે સીસીએસની બેઠકમાં બે મિનીટનું શહીદોના નામ પર મૌન રાખવામાં આવ્યું.
જ્યારે બેઠકને લઇને અરુણ જેટલીએ જણાવ્યું કે વિદેશ મંત્રાલય પાકિસ્તાનને અલગ-અલગ કરવામાં આવશે. જેમાં પાકિસ્તાનને અપાયેલ મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લેવાયો. પાકિસ્તાનને દુનિયામાં સામે અલગ-અલગ કરવામાં આવશે.
અરુણ જેટલીએ કહ્યું કે આ હુમલામાં પાકિસ્તાનનો સીધો હાથ છે. જ્યારે મીડીયા દ્વારા શું પગલા લેવામાં આવશે તેવું પુછવામાં આવતા કહ્યું કે ગોપનીય વાતો મીડિયા સમક્ષ જાહેર ન કરી શકાય. જો કે જેટલીએ કહ્યું કે આ હુમલાની દુશ્મનોએ ભારે કિંમત ચુકવવી પડશે.
જમ્મુ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં 40થી વધારે જવાનો શહીદ થયા છે. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મહોમ્મદે સ્વીકારી હતી.