દેશના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીના પાર્થિવ શરીરને ગન કેરિજથી અંતિમ સફર પર લઇ જવામાં આવ્યા હતા. આ ફોટો તાજેતરમાં સુષ્મા સ્વરાજની અંતિમ યાત્રાથી બિલકુલ અલગ હતી. જાણો આવું કેમ કરવામાં આવ્યું.
વાસ્તવમાં પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને રાષ્ટ્રપતિના પાર્થિવ દેહને ગન કેરિજથી લઇ જવાનો નિયમ છે. કારણ કે અરુણ જેટલી મોદી સરકારના પહેલા કાર્યકાળમાં રક્ષામંત્રીની જવાબદારી નિભાવી ચુક્યા છે, એટલા માટે શનિવારે નિધન બાદ રવિવારે અંતિમ સંસ્કાર પહેલા એમના પાર્થિવ દેહને ગન કેરિજ પર રાખવામાં આવ્યો હતો. લગભગ 10:58 વાગ્યે ફૂલોથી શણગારેલા ગન કેરિજમાં અરુણ જેટલીના પાર્થિવ દેહને ભાજપ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો.
અરુણ જેટલીના પાર્થિવ દેહને રવિવાર સવારે કૈલાશ કૉલોની સ્થિત એમના ઘરે જનતાના દર્શન માટે ભાજપ મુખ્યાલયમાં લાવવામાં આવ્યો. જેટલીના પાર્થિવ દેહને લઇ જનાર કાફલાની સાથે ઘણા ભાજપ નેતા અને પરિવારના સભ્યો પણ મુખ્યાલય પહોંચ્યા હતા.
ગૃહમંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ લાલ રંગના તાબૂતમાં રાખવામાં આવેલા પાર્થિવ દેહ પર પુષ્પ એર્પિક કરીને એમને શ્રદ્ધાંજલિ આપી હતી.
પાર્ટી કાર્યકર્તા અને અન્ય લોકો જેટલીના અંતિમ દર્શન કરી શકે, એના માટે રવિવાર સવારે ભાજપ મુખ્યાલયમાં એમના પાર્થિવ દેહને રાખવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના એક સૌથી ભરોસામંદ સહયોગી અને એક કુશલ વકીલ જેટલી માટે તમામે શોક સંવેદના વ્યક્ત કરી છે.
નાણામંત્રાલયમાં પોતાના કાર્યકાળ દરમિયાન જેટલીએ જીએસટીના લાગૂ કરવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગત મંત્રીમંડળમાં ભાજપના આ દિગ્ગજ નેતાએ નાણામંત્રીનો કાર્યભાર સંભાળ્યો.