પૂર્વ નાણા મંત્રી રહી ચૂકેલા અરૂણ જેટલીને દિલ્હી સ્થિત AIIMS હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જેટલી સોફ્ટ ટીસ્યુ કેન્સરથી પીડિત છે. નાણા મંત્રી અરૂણ જેટલીની ખબર અંતર પૂછવા માટે અમિત શાહ, ઓમ બિરલા સહિતાના દિગ્ગજ નેતાઓ AIIMS પહોંચ્યા હતાં.
આ નેતાઓની સાથો-સાથ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ AIIMS હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેમણે અરૂણ જેટલીના ખબર અંતર પૂછીને પરત ફર્યા હતા.
Delhi: Prime Minister Narendra Modi arrives at All India Institute of Medical Sciences (AIIMS) where Former Finance Minister Arun Jaitley has been admitted pic.twitter.com/nW91PEEl25
નોંધનીય છે કે, અરૂણ જેટલી છેલ્લા લાંબા સમયથી અસ્વસ્થ છે અને તેથી જ તેમણે બીજી મોદી સરકારના મંત્રી મંડળમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો. અરુણ જેટલીએ પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને કેબિનેટમાં સામેલ ન કરવાની વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલીએ ટ્વીટર પર એક પત્ર શેર કરતા લખ્યું હતું કે, છેલ્લા 18 મહિનાથી બિમાર છું. મારી તબિયત ખરાબ છે, એટલા માટે મને મંત્રી ન બનાવવા પર વિચાર કરવામાં આવે. નોંધનીય છે કે, 30 મેના રોજ પ્રધાનમંત્રી મોદી અને તેમના મંત્રી મંડળના શપથ લીધા હતા.
અરૂણ જેટલીએ પ્રધાનમંત્રી મોદીને લખેલ પત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, આપની આગેવાનીમાં 5 વર્ષ કામ કરવાનો અનુભવ ખુબ જ સરસ રહ્યો. આ પહેલા પણ NDA સરકારમાં મને જવાબદારી આપવામાં આવી છે, સરકાર સિવાય પણ મને સંગઠનમાં અગત્યની જવાબદારીઓથી નવાજવામાં આવ્યા છે હવે મારે કાઇ નથી જોઇતું.
જેટલી સોફ્ટ ટીશ્યુ કેન્સરથી પીડિત છે
આપને જણાવી દઇએ કે, ગત વર્ષે મે મહિનામાં અરૂણ જેટલીની કિડનીનું પ્રત્યાપર્ણ કરવામાં આવ્યું છે, ત્યારબાદ જેટલીને જમણા પગમાં ટીશ્યુ કેન્સર થયું છે. જેની સારવાર માટે તેઓ ચાલુ વર્ષના જાન્યુઆરી મહિનામાં અમેરિકા પણ ગયા હતા.