ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી નિધન થયુ. અરૂણ જેટલીએ દિલ્હીની AIIMS ખાતે આજે અંતિમ શ્વાસ લીધા. જોકે તેઓ ઘણાં લાંબા સમયથી બીમાર હતા અને છેલ્લાં 15 દિવસથી તેમની AIIMS હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
અરુણ જેટલીને 9 ઓગસ્ટના રોજ AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. AIIMS એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, ''24 ઓગસ્ટે અરુણ જેટલીએ અંતિમ શ્વાસ લીધા હતા અને હવે તેઓ આપણી વચ્ચે નથી રહ્યા.''
Delhi: Former Union Minister and Senior BJP leader Arun Jaitley passes away at AIIMS. pic.twitter.com/pmr4xiyqYV
ઉલ્લેખનીય છે કે, અરૂણ જેટલીએ પોતાના કાર્યકાળમાં ઘણા મહત્વના નિર્ણયો કર્યા. આ નિર્ણયોને પૂરા કરવા માટે અરૂણ જેટલીએ ઘણી રણનીતિ બનાવી. સૌથી મોટી વાત છે કે, સરકારમાં અરૂણ જેટલી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સૌથી નજીક અને વિશ્વાસપાત્ર વ્યકિત હતા. અરૂણ જેટલીને નોટબંધી અને GST જેના નિર્ણયો માટે યાદ કરવામાં આવશે. અરૂણ જેટલી જ્યારે નાણામંત્રી રહ્યા હતા, જ્યારે 6 એવા કામ કર્યા જેને કારણે સામાન્ય જનતાને ફાયદો થયો હતો.
નોટબંધી:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 8 નવેમ્બર 2016ના નોટબંધીની જાહેરાત કરીને 1000 અને 500 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ જાહેરાતની સાથે દાવો કરવામાં આવ્યો હતો કે, આ પગલાથી કાળા ધનમાં ઘટાડો થવાની સાથે ફેક કરન્સી પકડવામાં મદદ મળશે. મોદી સરકાર આ નિર્ણયને કેન્દ્રીય રિઝર્વ બેંકે માત્ર 4 કલાક પહેલા જ મંજૂરી આપી હતી. જોકે આ રણનીતિ ઘણી ગોપનીય હતી, જેમાં નાણામંત્રી અરૂણ જેટલીની મુખ્ય ભૂમિકા હતી.
જનધન યોજના:
જનધન યોજનાને કારણે આજે દેશમાં 35.39 કરોડથી વધારે લોકોને બેંકમાં ખાતા ખુલ્યા છે. જનધન ખાતા સામાન્ય જનતાને બચત કરવા માટે પ્રેરિત કરે છે. મોદી સરકારે જનધન યોજનાની શરૂઆત 2014માં કરી હતી. આ યોજનાને સફળ બનાવવા માટે અરૂણ જેટલીની મહત્વનું યોગદાન હતુ. અરૂણ જેટલીની સફળ રણનીતિને કારણએ આજે મોદી સરકારે આ યોજનામાં મોટી ઉપલબ્ધિ મેળવી છે.
GST:
GSTનો મતલબ છે એક રાષ્ટ્ર, એક ટ્રેક્સ. પરંતુ GST લાગૂ કરવા માટેનો અંતિમ નિર્ણય લેવો સરળ ન હતો. ગત સરકારોએ માત્ર આ મામલાને લઇને ચર્ચા કર, પરંતુ હિંમત અરૂણ જેટલીએ બતાવી હતી. આજે દેશમાં GSTનું સફળ રીતે પાલન થઇ રહ્યુ છે જેનો શ્રેય અરૂણ જેટલીને આપવામાં આવે છે. આ નવી ટેક્સ સિસ્ટમમાં તમામ વસ્તુઓ માટે હવે અલગ-અલગ ટેક્સ નથી આપવો પડતો. આ પહેલા 1991માં અર્થવ્યવસ્થાને લઇને ઉદારીકરણનો મોટો નિર્ણય લેવામાં આવ્યો. GST વિત્તીય ક્ષેત્રમાં સુધારને લઇને સૌથી મોટુ પગલુ છે, જેને લાગૂ કરાવવાને લઇને અરૂણ જેટલીને યાદ કરવામાં આવશે.
આયુષ્માન ભારત:
મોદી સરકાર આયુષ્માન ભારતની મોટી ઉપલબ્ધિ છે, જેના દુનિયાભરમાં વખાણ થઇ રહ્યા છે. આયુષ્માન ભારત યોજનાને જન આરોગ્ય યોજનાના નામે પણ ઓળખવામાં આવે છે. અરૂણ જેટલીએ 2018-19 માટે સામાન્ય બજેટ રજૂ કરતા આ યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપ માટે સંજીવનીનું કામ કર્યુ હતુ. આયુષ્માન યોજના હેઠળ આવનારા પરિવારને 5 લાખ રૂપિયાનો ઇન્શ્યોરન્સ ( કેશલેશ) આપવામાં આવે છે. સરકાર અનુસાર, દેશમાં 10 કરોડ પરિવારના10 કરોડ સભ્યોને આ યોજનાનો લાભ મળશે.
મુદ્રા યોજના:
આમ તો મુદ્રા યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડ્રીમ પ્રોજેક્ટ છે, પરંતુ તેના લોન્ચિંગથી લઇને સફળ બનાવવા માટે વિત્ત મંત્રાલયનું યોગદાન રહ્યુ. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં આ યોજનાની શરૂઆત એપ્રિલ 2015માં થઇ, પરંતુ નાણામંત્રી રહેતા અરૂણ જેટલીએ લોકો સુધી આ કામ પહોંચાડ્યુ. આ યોજનાનો લાભ વધારે મહિલાઓને મળ્યો છે. લગભગ 73% લોન ઉદ્યમી મહિલાઓને મળી. વાસ્તવમાં આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ લોકોને સ્વરોજગાર બનાવવો છે, દેશની તમામ બેંકોની મદદથી આ લોન આપવામાં આવી રહી છે.
સુકન્યા સમુદ્ઘિ યોજના:
અરૂણ જેટલીએ 2018-19ના બજેટ ભાષણમાં કહ્યુ હતુ કે, જાન્યુઆરી 2015માં શરૂ કરવામાં આવેલી સુકન્યા સમુદ્ઘિ યોજના ઘણી સફળ છે. મોદી સરકાર આ યોજનાથી ગરીબ પરિવારને મળ્યા, આજે પણ લોકો પોતાની દિકરીને ભવિષ્ય માટે આ યોજનાની સાથે જોડાઇ રહ્યા છે. આ યોજના હેઠળ 10 વર્ષની ઓછી ઉંમરની બાળકી માટે રોકાણ કરવામાં આવે છે. આ યોજનાને બેટી બચાવો-બેટી પઢાઓ સ્કીમ હેઠળ લોન્ચ કરવામાં આવી. કોઇ પણ 10 વર્ષથી ઓછી ઉંમરની દિકરી માટે સુકન્યા સમુદ્ઘિ યોજના હેઠળ 250 રૂપિયા જમા કરાવીને એકાઉન્ટ ખોલી શકાય છે. જ્યારે જ્યારે સુકન્યા સમુદ્ઘિ યોજનાની વાત થશે ત્યારે અરૂણ જેટલીને યાદ કરવામાં આવશે.