અયોધ્યામાં 5 ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન થવાનું છે, ત્યારે દેશભરના લોકો ખૂબ જ ખુશ છે અને ઉત્સાહિત છે. 500 વર્ષના લાંબા સંઘર્ષ બાદ દેશના લોકોને આ ખુશી મળી છે. આ અવસર પર સિરીયલ રામાયણના રામ એટલે કે અરુણ ગોવિલે પણ ટ્વિટ કરીને ખુશી જતાવી છે અને કહ્યું છે કે તે રામભક્તોને નમન કરે છે.
અરુણ ગોવિલે આપ્યુ રામ મંદિર પર નિવેદન
રામ મંદિર બનવાની દેશવાસીઓને ખુશી
અયોધ્યા નગરીને દુલ્હનની જેમ સજાવાઇ
અરુણ ગોવિલે જણાવ્યું કે અયોધ્યામાં રામ મંદિર માટે વર્ષો સુધી સંઘર્ષ કરવાવાળા વરિષ્ઠ લોકો અને આ લડાઇને ભૂમિપુજન સુધી લઇ જનાર તમામ લોકોને મારા કોટિ કોટિ વંદન. તમારા સૌના પ્રયાસો થકી જ સૌને આ દિવસ જોવાની તક મળી છે.
अयोध्या में राममंदिर के लिए वर्षों तक लगातार संघर्ष करने वाले वरिष्ठजन और आगे उस लड़ाई को भूमिपूजन तक लेकर आने वाले सभी रामभक्तों को मेरा कोटि कोटि नमन। आप सबके महान प्रयासों से ही हमें ये दिन देखने का सौभाग्य मिल रहा है। जय श्रीराम 🙏@PTI_News@ANI
તેમને જણાવી દઇએ કે, બુધવારે ભૂમિપુજન થશે, જેના માટે આખી અયોધ્યા નગરીને દુલ્હનની જેમ સજાવી છે. અયોધ્યાના દરેક ઘરમાં પાઠ થઇ રહ્યાં છે અને દીપ પ્રગટાવવામાં આવી રહ્યાં છે. ભારત દેશના સામાન્ય નાગરિકથી લઇને સેલિબ્રિટીઝ સુધી દરેક લોકો આ પળની રાહ જોઇ રહ્યાં હતા.
અરુણ ગોવિલની જો વાત કરવામાં આવે તો લૉકડાઉનના સમયમાં દુરદર્શન પર રામાનંદ સાગરની રામાયણમાં તેમને રામના પાત્રમાં જોયા હતા. રામાયણનું બીજીવાર પ્રસારણ થયુ ત્યારે શૉની આખી કાસ્ટ ફરીથી ચર્ચામાં આવી ગઇ હતી. અરુણ ગોવિલને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો અને ડિજીટલ જમાનામાં લોકોએ ખુબ સંદેશા તેમના સુધી પહોંચાડ્યા.