લોકડાઉનને કારણે દૂરદર્શન પર રામાયણ અને મહાભારત ફરી પ્રસારિત કરવામાં આવ્યું, ત્યારથી જ આ શોઝ અને તેના કલાકારો સતત ચર્ચામાં રહે છે. રામાયણે તો ટીઆરપીમાં ઈતિહાસ રચ્યો છે. ત્યારે આ શોમાં મુખ્ય ભૂમિકા ભજવનાર રામ એટલે કે અરૂણ ગોવિલે હાલમાં જ તેમના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા જણાવ્યા હતા.
રામાયણના રામ આ કારણથી આવ્યા હતા મુંબઈ
પછી રામાયણમાં રામનો રોલ મળ્યો અને બદલાઈ ગયું જીવન
અરૂણ ગોવિલે હાલમાં જ તેમના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સા શેર કર્યા
એક ઈન્ટરવ્યૂમાં અરૂણ ગોવિલએ તેઓ મુંબઈ આવ્યા ત્યારનો કિસ્સો શેર કરતા જણાવ્યું- તેઓ એક્ટિંગ માટે મુંબઈ નહોતા આવ્યા પરંતુ બિઝનેસ કરવા માટે મુંબઈ આવ્યા હતા. પરંતુ ભગવાન રામની કંઈક ઓર જ ઈચ્છા હતી. અરૂણે કહ્યું- પુરૂષોને પૈસા કમાવવા માટે કોઈકને કોઈક કામ કરવું જ પડે છે. જો તમને વારસામાં બાપ-દાદાની મિલકત ન મળી હોય તો કંઈક તો કરવું જ પડે. જેથી હું નોકરી કરવાનો હતો અથવા તો બિઝનેસ કરવાનો હતો.
અરૂણ ગોવિલે કહ્યું-તેમને બિઝનેસમાં વધુ રસ હતો. પણ પછી તેમને થયું કે, બિઝનેસ તેમના માટે ઠીક નથી. જે બાદ તેમણે વિચાર્યું કે શું કરવું જોઈએ. ત્યારબાદ અરૂણ કામ માટે શોધ કરવા લાગ્યા. તેઓ શરૂઆતથી જ થિયેટરમાં કામ કરતા રહ્યાં છે. ત્યારબાદ તેમણે આ જ ફીલ્ડમાં આગળ વધવાનો નિર્ણય લીધો. અરૂણે જણાવ્યું કે, તેમણે ફિલ્મોમાં પણ કામ કરવાનું શરૂ કર્યું હતું.
અરૂણ ગોવિલે જણાવ્યું કે, તેઓ પહેલાં પણ કામ કરતા હતા. તેમણે સિનેમા અને ટીવી બંનેમાં કામ કર્યું છે. ટીવી શો વિક્રમ બેતાલમાં પણ તેઓ કામ કરી ચૂક્યા છે. જોકે, પછી તેમના જીવનમાં રામાયણ આવી અને તેમનું સંપૂર્ણ જીવન બદલાઈ ગયું. અરૂણે કહ્યું- ભગવાને તેમને જે કંઈપણ આપ્યું છે, તેની અરૂણે કલ્પના પણ નહોતી કરી. તેમણે કહ્યું ભગવાન સાથે હોય તો બધું જ સારું થાય છે.