આવનારા વર્ષોમાં આર્ટિર્ફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ)થી સજજ ડિવાઇસ અને રોબોટ આપણી જિંદગી બદલી નાખશે. રિસર્ચ એન્ડ એડવાઇઝરી ફર્મ ગાર્ટનરના એક અહેવાલ મુજબ એઆઇ, વર્ચુઅલ પર્સનલ આસિસ્ટન્ટ અને ચેટબોટ્સ જેવી નવી ટેકનિક 2024 સુધીમાં વિવિધ કંપનીઓના મેનેજરોના વર્કલોડને 70 ટકા સુધી ઘટાડશે.
ગાર્ટનરના વાઇસ પ્રેસિડેન્ટ હેલેન પ્વાટેવિને જણાવ્યું હતું કે આ ટેકનિકથી, મેનેજરની પોસ્ટમાં ઉલટફેર પણ જોવા મળી શકે છે.હાલમાં ફોર્મ ભરવા, માહિતીને અપડેટ કરવા અને વર્કફ્લોને મંજૂરી આપવા જેવા કામમાં મેનેજરોનો ઘણો સમય નીકળી જાય છે. જો આ કામ એઆઇ દ્વારા કરવામાં આવે છે, તો મેનેજરો પાસે નવી વસ્તુઓ શીખવાનો, નવા ટાર્ગેટ નક્કી કરી તેના પર કામ કરવાનો વધુ સમય હશે.
ગાર્ટનરે પોતાના અહેવાલમાં જણાવ્યું છે કે 2023 સુધીમાં એઆઈ અને નવી ટેકનિકના કારણે કામગીરીમાં આવતી અડચણો દૂર થશે. તેનાથી દિવ્યાંગ કર્મચારીઓની નિમણૂકમાં ત્રણ ગણો વધારો થશે. અત્યારે ઘણી કંપનીઓ કામને સરળ બનાવવા માટે એઆઈનો સફળતાપુર્વક ઉપયોગ કરી રહી છે.
રિપોર્ટ અનુસાર વૈશ્વિક સ્તરે કુશળ કર્મચારીઓની અછત છે. છેલ્લા ઘણા વર્ષોથી અનેક કંપનીઓ આવા કર્મચારીઓની અછતનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં, જે કંપનીઓ વિકલાંગોને નોકરી પર લેતી નથી તે પાછળ રહી જશે. ગાર્ટનરે અનુમાન લગાવ્યું છે કે જે દિવ્યાંગ કર્મચારીઓ જલ્દી નોકરી છોડતા નથી.
એઆઈ ટેકનિક નિશ્ચિતપણે મેનેજરોની ભૂમિકા બદલવામાં અને કર્મચારીઓને તેમની જવાબદારીઓ અને પ્રભાવ વધારવામાં મદદ કરશે.વિવિધ રેસ્ટોરાં એઆઈ સાથેના રોબોટનો ઉપયોગ કરી રહ્યા છે. દિવ્યાંગ કર્મચારીઓ પણ તેને ઓપરેટ કરી શકે છે. બ્રેઇલ રીડર્સ અને વર્ચુઅલ રિયાલિટી જેવી ટેકનિકના કારણે, કંપનીઓ વધુને વધુ દિવ્યાંગોને પણ નોકરી આપી શકશે.