લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો વાણીવિલાસ બગડી રહ્યો છે. જમ્મુ કશ્મીરના નેતાઓ બફાટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા મહેબૂબા મુફ્તીએ બફાટ કર્યો હતો. આજે ફારુખ અબ્દુલ્લાએ કલમ 370ને લઈને બફાટ કર્યો હતો અને સાથે સાથે કેન્દ્ર સરકારને ચીમકી આપી હતી. શું કહ્યું ફારુખે તે ખરેખર જોવા જેવું છે.
દિલ્હી: લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો વાણીવિલાસ બગડી રહ્યો છે. જમ્મુ કશ્મીરના નેતાઓ બફાટ કરી રહ્યા છે. થોડા દિવસ પહેલા મહેબૂબા મુફ્તીએ બફાટ કર્યો હતો. આજે ફારુખ અબ્દુલ્લાએ કલમ 370ને લઈને બફાટ કર્યો હતો અને સાથે સાથે કેન્દ્ર સરકારને ચીમકી આપી હતી. શું કહ્યું ફારુખે તે ખરેખર જોવા જેવું છે.
લોકસભા ચૂંટણી 2019ના પ્રચારમાં લાગેલા નેતા નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાએ ભાજપનાં ચૂંટણી ઢંઢેરા પર તીખી પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, ભાજપે પોતાનાં સંકલ્પ પત્રમાં જમ્મુ કશ્મીરની કલમ 370ને રદ કરવાની વાત કરી છે.
તેઓ 370 રદ કરશે તો તેઓ વિલય કઇ તરફ રહેશે ? તેઓ શું તેમને મિટાવવા ઇચ્છે છે. એવુ સમજે છે કે બહારથી લાવશે અહીં વસાવશે અને અમારુ પત્તુ સાફ કરી નાખશે. અમે શું ઉંઘતા રહીશું ? અમે તેની સામે લડીશું. તેની વિરુદ્ધ ઉભા થઇ જઈશું.
#WATCH F Abdullah: Bahar se laenge, basaenge,hum sote rahenge?Hum iska muqabala karenge,370 ko kaise khatam karoge?Allah ki kasam kehta hun,Allah ko yahi manzoor hoga,hum inse azad ho jayen.Karen hum bhi dekhte hain.Dekhta hun phir kon inka jhanda khada karne ke liye taiyar hoga. pic.twitter.com/hrxoh9ECOY
370ને રદ કરશો તો વિલય ક્યાં રહી જશે. અલ્લાહની કસમ જો અલ્લાહને એ જ મંજુર હશે તો અમે તેમનાથી આઝાદ થઇ જઇશું. જમ્મુ કાશ્મીર નેશનલ કોન્ફરન્સના ફારુક અબ્દુલ્લાએ શ્રીનગરનાં ડાઉન ટાઉન વિસ્તારમાં પહેલી ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાજ્યપાલ પર નિશાન સાધ્યું હતું.
ફારુકે રાજ્યપાલને હાઇવે પર પ્રતિબંધ લગાવવા અંગે નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, તેમણે માત્ર 45 વાહનો માટે અમારા હાઇ-વે બંધ કરી દેવાય છે. .મને લાગે છે કે રાજ્યપાલ પોતે કાંઇ જ નથી વિચારતા, તેઓ દિલ્હીનાં આદેશ અનુસાર ચાલી રહ્યા છે.
મીરવાઇઝને એનઆઇએ હેડક્વાર્ટર દિલ્હી બોલાવવા અંગે ફારુકે પ્રહાર કર્યા હતા. તેમને કહ્યુ કે, આજે મીરવાઇઝને દિલ્હી લઇ જવામાં આવ્યો હતો, શું તેની તપાસ અહીં થઇ શકે તેમ નહોતી.
શું તમે અમને દબાવવા માટે તમારી શક્તિ દેખાડવા માંગો છો. પરંતુ અમે ડરતા નથી, જો તેમને લાગે છે કે અમને દબાવી દેશો તો આ માત્ર તમારુ સપનું છે.આમ ફારુખે કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા.