જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ની નાબૂદીની બીજી વરસીએ ડરપોક આતંકીઓએ કાશ્મીરમાં સુરક્ષા દળોના જવાનો પર બે વાર ગ્રેનેડ ફેંક્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈને સહેજ પણ નુકશાન થયું નથી.
આજે આર્ટિકલ 370 નાબૂદીની બીજી વરસી છે
કાશ્મીરમાં આતંકીઓએ સુરક્ષા દળોના જવાનો પર ગ્રેનેડ ફેંક્યા
1 કલાકમાં બે વાર ગ્રેનેડ ફેંક્યા, સુરક્ષા દળો પણ સજ્જ
આતંકીઓએ ગુરુવારે સાંજે એસએસબીના જવાનો પર ગ્રેનેડ ફેંક્યો
આતંકીઓએ ગુરુવારે સાંજે એસએસબીના જવાનો પર ગ્રેનેડ ફેંક્યો હતો. સદનસીબે કોઈને પણ સહેજે પણ ઈજા થઈ નથી. આતંકીઓએ પહેલો ગ્રેનેડ મહજૂર નગરમાં એસએસબીની 14 મી બટાલિયનના જવાનો પર ફેંક્યો હતો. ત્યાર બાદ તેના એક કલાકમાં તેમણે ફરી વાર બેમિનામાં એસએસબીની ચોકી પર ગ્રેનેડથી હુમલો કરી દીધો.
સેન્ટ્રલ કાશ્મીરના કાશ્મીર જિલ્લાના સિરાજ ખાનયારમાં એક રાજકીય દળના નેતાની પોલીસ સુરક્ષા પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં 3 લોકોને ઈજા પહોંચી છે. હુમલા બાદ આખા વિસ્તારની ઘેરાબંધી કરીને ફરાર થયેલા આતંકીઓને ઝડપી પાડવા સર્ચ ઓપરેશન શરુ કરાયું હતું. આ હુમલો જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 ની નાબૂદીના બે વર્ષ પૂર્ણ થતા પહેલા થયો હતો. જમ્મુ કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે કલમ 370 નાબૂદ કરાઈ હતી.
ખાનયારમાં આતંકીઓએ પોલીસ દળ પર ગોળીબાર કર્યો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે ખાનયારમાં આતંકીઓએ પોલીસ દળ પર ગોળીબાર કર્યો હતો જેમાં એક પોલીસને પેટમા ગોળી વાગી. ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.