જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટવવાના ઐતિહાસિક નિર્ણય માટે મોદી અને શાહની જોડીની પક્ષ-વિપક્ષ સહિત વિશ્વના અનેક દેશોમાં મહત્વપૂર્ણ નોંધ સાથે વાહ વાહી થઈ છે. પરંતુ આ મોદી-શાહની જોડીની સાથે કાશ્મીરના IAS( સુબ્રમણ્યમ) અને IPS( વિજયકુમાર) અધિકારીની જોડીએ કાશ્મીરમાં રહી મહત્વ પૂર્ણ ભૂમિકા ભજવી છે.
પડદાં પાછળના બે હિરો
કાશ્મીરની તમામ સુરક્ષાના નિર્ણયો પર મોદી-શાહ જેના પર વિશ્વાસ કરે છે તેવા અજિત ડોભાલની કોર કમિટીમાં કામ કરનાર અને કાશ્મીરના મુખ્ય સચિવ બી વી આર સુબ્રમણ્યમ અને કાશ્મીરના રાજ્યપાલ મલિકના રાજ્ય સુરક્ષા સલાહકાર કે વિજયકુમારે 370 હટવવાં અંગેની પડદા પાછળની ભૂમિકા ભજવી છે.
મોદી સાથે PMOમાં ફરજ બજાવ્યા બાદ કાશ્મીર મોકલાયા
મનમોહન સિંઘની સરકાર વખતે PMOમાં સચિવ તરીકે ફરજ બજાવતાં IAS બી વી આર સુબ્રમણ્યમે મોદી સરકાર આવ્યા બાદ PMOમાં એક વર્ષ સુધી ફરજ બજાવી હતી. આથી મોદીની ગુડ બુકમાં સ્થાન પામતાં જ કાશ્મીરમાં ડેપ્યુટેશન પર મોકલાયા હતાં.
જો કે 2018માં મલિક કાશ્મીરના રાજ્યપાલ બનતાં જ સુબ્રમણ્યમને કાશ્મીરના મુખ્ય સચિવ બનાવી દેવાયા હતાં. સુબ્રમણ્યમ છતીસગઢ કેડરની 1987 બેચના IAS છે. રાજ્યની તમામ સુરક્ષા વ્યવસ્થા અને ક્યાં કેટલાં સૌનિકો તૈનાત કરવાની તમામ જવાબદારી અજિત ડોભાલના માર્ગદર્શનમાં સુબ્રમણ્યમે જ જોઈ હતી.
વિજયકુમારનું ચંદનચોર વિરપ્પનને માર્યા બાદ કાશ્મીરની ઘાટીમાં પોસ્ટીંગ
રાજીવ ગાંધીની સુરક્ષાનું મોનિટરીંગ કરનાર અને તે વખતથી જ PMO સાથે સારો ઘરબો રાખનાર કે વિજયકુમાર કાશ્મીરમાંથી 370 હટવવામાં મહત્વના રહ્યાં. 2004માં કુખ્યાત ચંદનચોર વિરપ્પનને શોધનાર સિક્યુરીટી ફોર્સના ચીફ તરીકે કે વિજયકુમારે જવાબદારી સંભાળી વિરપ્પને માર્યો હતો.
ત્યારથી વિજયકુમાર હિરો બની ગયા હતા. અજિત ડોભાલના ખાસ હોવાથી કાશ્મીરમાં રાજ્યપાલના સુરક્ષા સલાહકાર તરીકે નિમણૂંક મળી અને કાશ્મીર રવાના થયાં. સુરક્ષા અને નિર્ણયની તમામ કાર્યવાહીમાં અજિત ડોભાલ અને રાજ્યપાલ મલિક વચ્ચે કડી રૂપ સાબિત થયા. ડોભાલ કાશ્મીર આવે એટલે વિજયકુમારને મળ્યા વગર ન પાછા ફરે.