ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી જ્યારે મુખ્યમંત્રી હતા એ વખતે એમને પોત પોતાના બંગ્લા પર આશરે 50 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.
જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપવા સંબંધી આર્ટિકલ 370ની જોગવાઇઓને હટાવ્યા બાદ હવે લાંબા સમયથી સરકારી બંગ્લા પર કબ્જો કરનાર પૂર્વ મુખ્યમંત્રીઓથી એમનો બંગ્લો પણ પાછો લઇ શકાય છે. વાસ્તવમાં આ આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. વિશેષ રાજ્યના કારણે અત્યાર સુધી જમ્મુ કાશ્મીરમાં આ આદેશ લાગૂ થઇ શકશે નહીં. પરંતુ હવે વિશેષ દરજ્જો હટાવવાનું કારણ માનવામાં આવી રહ્યું છે કે જલ્દી જ આ આદેશને અહીંયા પણ અમલમાં લાવવામાં આવશે. એવામાં પૂર્વ મુખ્યમંત્રીઓ ખાસ કરીને મહેબૂબા મુફ્તી અને ઓમર અબ્દુલ્લાની મુશ્કેલી વધતી જોવા મળી રહી છે.
જણાવી દઇએ કે જમ્મુ કાશ્મીર રાજ્યને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વહેંચવા અને આર્ટિકલ 370ની જોગવાઇઓ હટાવવા સંબંધી બીલને કેન્દ્ર સરકારે બંને સદનમાં બહુમતથી પસાર કરાવી લીધું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ જમ્મુ કાશ્મીરથી આર્ટિકલ 370ની જોગવાઇને હટાવવાની મંજૂરી આપી દીધી છે.
બીજી બાજુ આ નિર્ણયને લઇને ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત ઘણા સ્થાનિક નેતાઓએ એનો કડક વિરોધ કર્યો. મુફ્તીએ તો એના માટે હવે ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી પણ આપી દીધી છે. આ વચ્ચે રાજ્યમાં કોઇ પણ પ્રકારની આશંકાને જોતા સોમવારે બંને નેતાઓની અટકાયત કરી લેવામાં આવી હતી. હવે માનવામાં આવી રહ્યું છે કે વિશેષ રાજ્યનો દરજ્જો હટવાની સાથે જ સરકારી ભવનો પર કબ્જો જમાવેલા આ નેતાઓને હવે અહીંથી બહારનો રસ્તો દેખાડવામાં આવશે.
જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ એકમાત્ર પૂર્વ સીએમ છે, જેમનો કોઇ પણ સરકારી બંગ્લા પર કબ્જો નથી. એમની પાસે માત્ર ગુપ્કર રોડ પર જૈતહરીમાં જમ્મુ અને કાશ્મીર બેંકના ગેસ્ટહાઉસમાં અસ્થાઇ કબ્જો છે.
ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સહિત અન્ય તમામ સુરક્ષા ચિંતાઓના કારણે શ્રીનગરના ગુપત્ર રોડના પડોસમાં પોતાના ભાડુઆતી સરકારી બંગ્લાને પોતાનો રાખવા યથાવત રાખ્યો છે. આટલું જ નહીં પોતાના બંગ્લાને રિપેર કરવા માટે આ બંને નેતાઓએ મોટી રકમ ખર્ચ કરી છે. એક અનુમાન પ્રમાણે સત્તામાં રહેતા બંનેએ પોતાના સરકારી બંગ્લાને રિપેર કરવામાં 50 કરોડ રૂપિયાથી પણ વધારે ખર્ચ કર્યા છે.
ઓમર અને મહેબૂબા મુફ્તીના સરકારી બંગ્લામાં કામતકાજ માટે સહયોગીઓનું મોટું દળ છે. જેમનું વેતન પણ સરકારથી આવે છે.