ભારતના બંધારણમાં એવી કોઈ કલમ નથી જેવી 370 છે. કલમ 370 સૌથી અજીબ છે કારણ કે બંધારણની દરેક કલમોમાંથી માત્ર 370 પાછળ જ અસ્થાયી એટલે કે ટેમ્પરરી શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આખરે આ કલમ 370 છે શું ? આ કલમને કારણે કશ્મીરીઓ કેટલા વિશેષ અધિકાર ભોગવે છે તે તમે સમજો.
શું છે કલમ 370માં પ્રાવધાન?
કલમ 370ના પ્રાવધાનની વાત કરવામાં આવે તો, કલમ 370ને કારણે જમ્મુ કાશ્મીરને પોતાનું અલગ બંધારણ આપવામાં આવ્યું છે. મૌલિક અધિકાર જમ્મુ કાશ્મીરની જનતાને પૂર્ણ રૂપથી નથી મળતા. રાજ્યમાં વસ્તી મુજબ લઘુમતિનો ઉલ્લેખ જ નથી. SC, ST સમુદાયને કોઈ પણ પ્રકારનો ફાયદો રાજ્યની સરકારી યોજનામાં નથી મળતો. મહિલાઓ સાથે ભેદભાવ કરવામાં આવે છે. તેની સ્થિતિ એ છે કે તેમને પ્રોપર્ટીમાં પુરૂષોની સમાન અધિકાર જ નથી મળ્યા. જો એક મહિલા કોઈ બિન કાશ્મીરી સાથે લગ્ન કરી લે છે તો કાશ્મીરમાંથી તેનો તમામ હક ખતમ થઈ જાય છે. કાશ્મીર સિવાયનો કોઈ વ્યક્તિ કાશ્મીરમાં જમીન ખરીદી શક્તો નથી. જ્યારે દરેક ભારતીયોને તમામ રાજ્યમાં જમીન ખરીદવાનો હક મળેલો છે.
આ તમામ વાતોને સાંભળી એ અંદાજ લગાવવો મુશ્કેલ નથી કે આ કલમ હટવાનો ડર કોને સતાવે છે. કેમ આને ખતમ કરવાના નામ પર તલવારો ખેંચાઈ જાય છે.
4 ડિસેમ્બર 1964ના દિવસે તત્કાલિન ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદાએ કલમ 370ને સત્તાની સુરંગ કહી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે ધીરે ધીરે કેન્દ્રની શક્તિ વધશે અને જમ્મુ કાશ્મીર અન્ય રાજ્યોની માફક જ બની જશે. જ્યાં ભારતનું બંધારણ જ સર્વોપરિ હશે. પરંતુ તે સમયની કોંગ્રેસ સરકારની ઈચ્છા સમય બદલાતા બદલાઈ ગઈ.
હવે આ કલમે તેના મૂળ એટલા ઉંડા કરી દીધા છે કે તેને ઉખાડી ફેંકવાનું કોઈ વિચારી પણ શક્તું નથી. હાલ સ્થિતિ એવી થઈ ગઈ છે કે જ્યારે કોઈ આ કલમને ખતમ કરવાની વાત કરે છે તો એક તરફ શરૂ થઈ જાય છે ઝેરીલા નિવેદનો અને બીજી તરફ શરૂ થઈ જાય છે જ્ઞાન.
આ જ્ઞાન આપતા એવું કહેવામાં આવે છે કે જો આ કલમ રદ કરવામાં આવી તો જમ્મુ કાશ્મીર ભારતનો ભાગ જ નહીં રહે. પરંતુ આ સત્ય નથી. કેમ ? કારણ કે ભારતીય વિસ્તારોને પરિભાષિત કરનારો આર્ટિકલ વન લાગુ રહેશે. બીજું એ કે જમ્મુ કાશ્મીરના બંધારણનો આર્ટિકલ થ્રી જે જમ્મુ કાશ્મીરના ભારતમાં વિલયને લઈ છે તે કહે છે કે કાશ્મીરના એલાયન્સને લઈને કોઈ સંશય નથી.
કેન્દ્ર પાસે બંધારણીય મર્યાદામાં રહીને અનેક વિકલ્પ છે
જમ્મુ કાશ્મીરનું બંધારણ બન્યા બાદ રાજ્યની બંધારણ સભાને ભંગ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ એવુ કહેવામાં આવ્યું કે રાજ્યના બંધારણમાં કોઈ પણ પ્રકારનું સંશોધન અથવા કેન્દ્રની શક્તિઓનો વિસ્તાર સંભવ નહીં થાય. પરંતુ સુપ્રિમ કોર્ટે આ વાતને ઉડાવી દીધી. એટલે કે કેન્દ્ર પાસે બંધારણીય મર્યાદામાં રહીને અનેક વિકલ્પ છે. ભલે સર્વોચ્ચ અદાલતે આ કલમના સંદર્ભમાં એવું કહી દીધું હોય કે આટલા દિવસો સુધી લાગુ રહ્યા બાદ આ કલમ હવે અસ્થાયી નથી રહી. પરંતુ રાષ્ટ્રપતિના અધિકાર ક્ષેત્રમાં હજુ પણ બદલાવનો વિકલ્પ છે. બંધારણના નિષ્ણાંતોના મતે રાષ્ટ્રપતિના આદેશ દ્વારા કલમ 35-Aમાં પરિવર્તન કરી શકાય છે. અથવા 35-Aને હટાવી શકાય છે. પરંતુ જમ્મુ કશ્મીર સરકારના સહયોગથી.
સુપ્રીમ કોર્ટે પણ આ સંશોધનને માન્ય રાખ્યું હતું...
જમ્મુ કાશ્મીરના બંધારણ મુજબ પહેલા ભારતથી અલગ તેમનો એક પ્રધાનમંત્રી હતા. જેને વજીર એ આઝમ કહેવામાં આવતો હતો. પરંતુ રાજ્યના બંધારણમાં 1965માં સંશોધન કરવામાં આવ્યું. એટલે કે એ બંધારણનું સંશોધન જેને અમિટમેન્ટ પ્રુફ બતાવવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે પણ આ સંશોધનને માન્ય રાખ્યું હતું. એટલે કે આવું એક વખત થયું છે તો બીજી વખત પણ થઈ શકે છે. જરૂર છે માત્ર પ્રબળ ઈચ્છા શક્તિની. અત્યાર સુધીની કોઈ સરકારોએ ઈચ્છાશક્તિ બતાવી નથી. પરંતુ દેશવાસીઓને આશા છે કે પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં અને ગૃહમંત્રી અમિત શાહની ઈચ્છાશક્તિથી આ શક્ય બની શકે છે. જોવું રહેશે કે દેશવાસીઓની આ આશા કેટલી પરિપૂર્ણ થાય છે.