ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ખૂબ ઝડપથી વધી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસનાં કુલ સાત કેસ નોંધાયા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોટા નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં શુક્રવારનાં રોજ ત્રણ પોઝીટીવ કેસ નોંધાયા. કોરોના વાયરસનો ખતરો જોતા સરકારમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્યનાં મોટા શહેરોમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
અમદવાદ, રાજકોટ, સુરત વડોદરા સહિત મોટા શહેરોમાં કલમ 144 લાગુ
પાનના ગલ્લા, લારી બંધ રાખવા આદેશ
ધાર્મિક સ્થળો, સામાજિક સંસ્થાનો અને હોટેલ પણ બંધ
કોરોના વાયરસનાં કારણે રાજ્યનાં ઉચ્ચ અધિકારીઓએ બેઠક બાદ કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કોરોના વાયરસનો સંક્રમણ ફેલાય નહીં તે માટે રાજ્યનાં લોકોને ભીડ થાય તેવી જગ્યાએ ન જવાની સલાહ આપવામાં આવી છે. ત્યારે કલમ 144 લાગુ કરવાના કારણે લોકો ભીડમાં એકઠા થઇ શકશે નહીં.
આ શહેરોમાં લાગુ થઇ કલમ 144 :
કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે ગુજરાતનાં જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, કચ્છ, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા અને દ્વારકામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
કોરોના વાયરસનો ફેલાવો અટકાવવા માટે જે સ્થળો પર લોકો એકઠા થતા હોય તે સ્થળોને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસનાં કોહરામને જોતા શહેરોનાં દરેક ધાર્મિક સ્થાન, હોટેલ અને સામાજિક સંસ્થાઓ બંધ રાખવનો આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે પાનના ગલ્લા તથા લારી સહીતની જગ્યાઓ બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. સાથે જ જો આ જીલ્લાઓમાં કોરોનાનાં શંકાસ્પદ દર્દી નોંધાય તો હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદમાં પણ કલમ 144 લાગુ કરી દેવાઈ છે. તેમજ પાનના ગલ્લા બંધ રાખવા આદેશ અપાયો છે. તેમજ રવિવારે અમદાવાદમાં તમામ બાગ-બગીચા પણ બંધ રહશે.
વડોદરામાં તમામ મોલ બંધ રાખવા આદેશ અપાયો છે. જાહેર સ્થળે લોકોને એકઠાં થવા પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે
સુરતમાં જાહેર સ્થળે એકઠાં થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. આ ઉપરાંત ટેક્સટાઈલ માર્કેટ તેમજ હીરા બજરમાં પણ બંધ છે. સુરતમાં આવેલી લગભગ 50 હજાર દુકાનો બંધ રહેવાને કારણે કરોડો રૂપિયાનો વેપાર અટકી જશે. સાવચેતીના ભાગ રૂપે કેટલીક ફ્લાઈટ પણ રદ કરી દેવાઈ છે. તો ડૂમ્મસ અને સાવલી બીચ પર જવા માટે પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે.
રાજકોટમાં પણ કલમ 144 લાગુ કરી દેવાઈ છે. 4 કરતા વધુ લોકોને એકઠાં થવા પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. રાજકોટના જંગલેશ્વરમાં ખાસ તકેદારી રખાઈ છે.કોરોનાનો પોઝિટિવ કેસ જંગલેશ્વર વિસ્તારમા રહેતાં વ્યક્તિમાં જ નોંધાયો હતો.
જૂનાગઢમાં સામાજિક સંસ્થા, ધાર્મિક સ્થાનો, પાનના ગલ્લા, લારી અને હોટલ બંધ રાખવા આદેશ કરાયો છે. હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા ઉભી કરાઈ છે.ગીર સોમનાથમાં પણ કલમ 144 લાગૂ કરી દેવાઈ છે..સાથે જ ધાર્મિક સ્થળે લોકોના એકઠાં થવા પર પ્રતિબંધ લગાવાયા છે..સોમનાથ મંદિર પણ સહેલાણીઓ માટે બંધ કરાયું છે.આ ઉપરાંત કચ્છ, દ્વારકા અને મહેસાણામાં પણ કલમ 144 લાગુ કરી દેવાઈ છે.જાહેર સ્થળે એકઠાં ન થવા તંત્રએ લોકોને અપીલ કરી છે.